પ્રયાગરાજ: ઓપરેશન ‘આહટ’ (Operation ‘Ahat’) હેઠળ રેલ્વે પ્રોટેક્શન ફોર્સે (Railway Protection Force) આજે 10 મેના રોજ એક મહત્વની કામગીરી હાથ ધરી હતી....
નવી દિલ્હી: ચૂંટણી વચ્ચે પોતાના જામીનની રાહ જોઈ રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે સારા સમાચાર આવ્યા છે. સુપ્રિમ કોર્ટે આજે તા....
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છેલ્લી સીઝન એટલે કે આઈપીએલ 2023માં ‘ઈમ્પેક્ટ પ્લેયર રૂલ’ ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતો, પરંતુ હવે આ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં (Lok Sabha Election 2024) મહારાષ્ટ્રને (Maharashtra) મહત્વના રાજ્યોમાંથી એક માનવામાં આવે છે. લોકસભાની કુલ 48 બેઠકો છે...
સુરત: કાપોદ્રા ખાતે રહેતી પરિણીતા તેના દીકરાને સ્કૂલે લેવા મૂકવા માટે જતી હતી તે દરમિયાન એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. બંને...
નવી દિલ્હી: ભારતીય શેરબજારના (Indian stock market) નિવેશકોની ગઇકાલે ગુરુવારે કફોડી સ્થિતી થઇ હતી. કારણ કે રોકાણકારોને 5 લાખ કરોડનું નુકશાન થયું...
પ્રતિનિધિ વડોદરા તા.10 વડોદરા શહેરના વડસર રોડ પર અટલાદરા ખાતે વુડામાં લગ્નમાં ડીજે વાગતું હોય પોલીસે આવી બંધ કરાવ્યું હતું. 22 વર્ષીય...
નવસારી : નવસારીમાં બહેને હિન્દૂ યુવાન સાથે પ્રેમ લગ્ન કરતા નારાજ ભાઈએ બનેવીને માર મારતા મામલો નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચ્યો છે....
દરેક વ્યક્તિના જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ અણમોલ હોય છે અને તે ઘટના સાથે જોડાયેલી વસ્તુઓને લાઈફટાઈમ સાચવી રાખવાના દરેક વ્યક્તિના અરમાન હોય...
અમદાવાદ: લોકસભાની ચૂંટણીના એક દિવસ પહેલાં ગઈ તા. 6 મેના રોજ અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ મુકાયા હોવાના ધમકીભર્યા ઈ-મેઈલ આવ્યા હતા, જેના લીધે...
નવી દિલ્હી: વારસાગત કર અને ભારતીયો વિશે જાતિવાદી ટીપ્પણી કરનારા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા પછી હવે કોંગ્રેસના વધુ...
આજના માનવીને વિશેષ પડકારનો પ્રશ્ન હોય તો તે પર્યાવરણના આરક્ષણનો ગ્લોબલ વોર્મિંગનો સતત ભય. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકર્તા છે. પ્લાસ્ટિકની પ્રકૃતિ એવી...
નવી દિલ્હી: ટાટા સ્ટીલના બિઝનેસ હેડ (Tata Steel business head) વિનય ત્યાગીની (Vinaya Tyagi) થોડા સમય પહેલા જ યુપીના ગાઝિયાબાદમાં શાલીમાર ગાર્ડન...
ઉકાઈ અને કાકરાપાર બંધનું નિર્માણ થતાં તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના અનેક ગામોને નહેરનું પાણી પ્રાપ્ત થયું. પરિણામે છેલ્લા કેટલાક દાયકાઓથી ખેડૂતોની...
ગુજરાતમિત્રમાં થોડા સમય પહેલા સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભૂમિગત પાણીના તળ ઊંડા જતા રહ્યા અંગેનો વિસ્તૃત લેખ વાંચ્યો. સુરત શહેર ઉપર કુદરતની...
આરબીઆઇ દ્વારા તા.1 મે (ગુજરાત દિન)થી બેંકોના ચાર્જીસ અને નિયમોમાં ઘરખમ ફેરફાર જાહેર કર્યા છે. જેમાં બચત ખાતામાં 10 થી 50 હજાર...
આપણો ગુજરાતીઓનો એક પ્રશ્ન છે, જે આપણે જેને મળીએ તેને પૂછીએ છીએ અને બધાને પૂછીએ છીએ.બધા નોન ગુજરાતીઓને પણ આ પ્રશ્ન પૂછવા...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhand) સ્થિત કેદારનાથના (Kedarnath) દ્વાર શિયાળાની ઋતુમાં છ મહિના સુધી બંધ રહ્યા બાદ આજે શુક્રવારે અક્ષય તૃતીયાના તહેવાર પર ભક્તો...
“હવે કોઈ જાતે કશું કરતું નથી..કરી શકે તેમ પણ નથી….કોન્ટ્રાકટ આપી દેવો એ જ બેસ્ટ” …..આપણા રોજિંદા જીવનમાં આ વાક્યો હવે સહજ...
18મી લોકસભાની ચૂંટણી શરૂ થઈ એ પહેલાં લોકનીતિ સંસ્થાએ લોકોને મહત્ત્વના લાગતા મુદ્દાઓ અંગે એક સર્વે કર્યો, જેમાં સૌથી વધુ લોકોએ બેરોજગારીને...
વ્લાદીમીર પુટિને મંગળવારે ક્રેમલિનમાં યોજાયેલા ઝળહળાટભર્યા શપથવિધિ સમારંભમાં રશિયન પ્રમુખ તરીકેની પોતાની પાંચમી ટર્મ શરૂ કરી. આમ તો તેઓ માર્ચમાં પ્રમુખપદે ચૂંટાઇ...
કોંગ્રેસના નેતાઓની જીભ લપસી જાય છે તેનો ફાયદો ભાજપને અનાયાસે મળી જતો હોય છે. કોંગ્રેસના એક નેતાએ ૨૦૧૪ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીને...
એક તરફ ગરમી નો પારો સતત વધી રહ્યો છે ત્યારે અનેક લોકો હીટ વેવના કારણે મોત ને ભેટતા હોવાના સમાચાર પણ જોવા...
સુરત: (Surat) સુરત મનપાના શાસકોએ મનપાની સીટી બસ (City Bus) અને બીઆરટીએસ બસના અકસ્માતો તેમજ અન્ય વિવાદને કાબુમાં લાવવા પોલીસ બનાવી અને...
સાવલીના કરચીયા રોડ પર બરોડા ડેરી મા કોન્ટ્રાક્ટ થી ચાલતા ટેમ્પો માંથી દૂધ ચોરીના કૌભાંડ પ્રકરણમાં આજરોજ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા...
વલસાડ: (Valsad) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ઓનલાઈન પરિણામ (Online Result) ગુરુવારે જાહેર થયું...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં રાજકારણનો ગરમાટો ભલે ઠંડો થઇ ગયો પરંતુ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં હોય તેમ ગરમી (Hot) વધી જવા પામી છે....
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 9-00 વાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ (Result) જાહેર...
ઉજિયારપુર: (Ujiarpur) લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાનનું હેલિકોપ્ટર (Helicopter) બિહારના ઉજિયારપુરમાં દુર્ઘટનાગ્રસ્ત થતા બચી ગયું છે. વાસ્તવમાં હેલિકોપ્ટરનું...
તમિલનાડુના (Tamilnadu) શિવાકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં (Firecracker Factory) વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 5 મહિલાઓ સહિત 8 મજૂરોના મોત થયા છે. તમિલનાડુ પોલીસે...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
પ્રયાગરાજ: ઓપરેશન ‘આહટ’ (Operation ‘Ahat’) હેઠળ રેલ્વે પ્રોટેક્શન ફોર્સે (Railway Protection Force) આજે 10 મેના રોજ એક મહત્વની કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત જવાનોએ ટ્રેનમાં (Train) અલગ-અલગ કોચમાંથી 93 સગીર બાળકોને રેસ્ક્યુ (Rescue) કર્યા હતા. આ બાલકો એકલા મુસાફરી કરી રહ્યા હતા. તેમના માતાપિતામાંથી કોઈ તેમની સાથે નહોતું.
ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર રેલવે પ્રોટેક્શન ફોર્સ પોસ્ટ પ્રયાગરાજ દ્વારા ઓપરેશન ‘આહટ’ હેઠળ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં ટ્રેન નં. 12487, પ્રયાગરાજ સ્ટેશન પર S-6, S-7 અને S-8 થી 93 સગીર બાળકો અને 09 વ્યક્તિઓ સાથે તેમને ઉતારવામાં આવ્યા હતા. આ નવ લોકો બાળકો પર નજર રાખી રહ્યા હતા. આરપીએફને સૂત્રો પાસેથી આ માહિતી મળતા જ તેમણે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ બાળકોને રેસ્ક્યુ કર્યા હતા. હાલ બાળકોને બાળ કલ્યાણ સમિતિ/પ્રયાગરાજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં બાળકોની દેખરેખ અને કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સૂત્રો પાસેથી માહિતી મળતાં એસઆઈ નીતિન કુમારને પહેલાથી જ પંડિત દીન દયાલ ઉપાધ્યાય સ્ટેશન પર મોકલવામાં આવ્યા હતા અને વાહનમાં બાળકો અને તેમને લઈ જનાર વ્યક્તિઓનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ પોસ્ટ કમાન્ડર શિવ કુમાર સિંહે ડિટેક્ટીવ વિંગ/પ્રયાગરાજના સ્ટાફ, બચપન બચાવો આંદોલનના કર્મચારીઓ, ચાઈલ્ડ હેલ્પલાઈનના કર્મચારીઓ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કામ કરતા મહિલા દળના સભ્યો સાથે એક ટીમ બનાવી અને બાળકોને બચાવ્યા હતા. તેમજ બાળકો સાથે આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ વ્યક્તિઓ પાસે બાળકોને લઈ જવા માટેનું કોઈ માન્ય પ્રમાણપત્ર મળ્યું ન હતું, ન તો બાળકોના માતા-પિતા કે પરિવારના કોઈ સભ્ય આ બાળકો સાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ત્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ પોસ્ટ પ્રયાગરાજ ઘણા સમયથી આ પ્રકારના કાંડની માહિતી એકઠી કરી રહી હતી.
પ્રયાગરાજ જંક્શન પર તૈનાત રેલ્વે પોલીસ ફોર્સ (RPF) ઇન્સ્પેક્ટર શિવ કુમારે જણાવ્યું હતું કે ટ્રેનમાંથી ઉતાર્યા બાદ આ બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની દેખરેખ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતું. આ બાળકો બિહારના અરરિયાના રહેવાસી છે અને આમાંથી કેટલાક બાળકોને દિલ્હી, કેટલાકને રાજસ્થાનના નાગૌર જિલ્લામાં અને કેટલાકને દેહરાદૂન લઈ જવામાં આવી રહ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે આ તમામ બાળકો મુસ્લિમ સમુદાયના છે અને તેમની ઉંમર 9 વર્ષથી 12-13 વર્ષની વચ્ચે છે. બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અખિલેશ મિશ્રાએ કહ્યું કે કાઉન્સેલિંગ રિપોર્ટ આવવાનો બાકી છે. પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન આ બાળકોને દેશના અલગ-અલગ મદરેસામાં લઈ જવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું.