Top News

More Posts

   The Latest

Most Popular

લખનઉ: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના (Lucknow) સૈરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 વર્ષની માસૂમ બાળકીની હત્યાના કેસમાં પોલીસે 13 વર્ષના સગીર છોકરાની (Underage boy) ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે સગીર તેના પિતાના અપમાનનો બદલો લેવા માંગતો હતો તેથી તેણે ફિલ્મી સ્ટાઈલમાં બાળકીની હત્યા (Murder) કરી દીધી. 13 વર્ષના આ સગીર છોકરાએ બાળકીને શાળાની પાણીની ટાંકીમાં બાળકીનો મૃતદેહ સાથે તેના પગમાં ઈંટ બાંધીને તેને પાણીમાં મૂકી દીધી હતી. જેથી કરીને મૃતદેહ પાણીની ઉપર આવે નહીં.

જાણો કેવી રીતે આ હત્યા કરી?
મળતી માહિતી અનુસાર, સૈરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જુગૌર ગામમાં સુશીલ પાંડેની 1 વર્ષની પુત્રી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. સુશીલે પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ બાળકીને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શોધખોળ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે બે સગીર છોકરાઓ છોકરીને પોતાની સાથે સ્કૂલ તરફ લઈ ગયા હતા. જ્યારે પોલીસે શાળામાં તપાસ કરી તો બાળકીની લાશ શૌચાલયમાં પાણીની ટાંકીની અંદર પડેલી મળી આવી હતી. યુવતીનો પગ ઈંટથી બાંધેલો હતો અને તેના શરીર પર કોઈ કપડા નહોતા.

આ સગીર બાળકને નશાની લત હતી
પોલીસે મૃતદેહને પાણીની ટાંકીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. કલાકો સુધી સમગ્ર મામલાની તપાસ ચાલુ હતી ત્યારબાદ મામલો ખુલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર 13 વર્ષના સગીરે માસૂમ આ એક વર્ષની બાળકીની હત્યા કરી હતી. પોલીસે આ મામલે ખુલાસો કરતાં કહ્યું હતું કે, આ સગીર બાળકને નશાની લત હતી અને તે ઘણીવાર લોકોને પણ હેરાન કરતો હતો. આ વિશે તેના પરિવારજનોને પણ અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી. ડીસીપી નોર્થ ઝોન એસ ચિનપ્પાના જણાવ્યા અનુસાર આ 13 વર્ષના સગીર બાળકે પિતાના અપમાનનો બદલો લેવા માટે 1 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી હતી. હાલમાં આ સગીર બાળકની પૂછપરછ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.

To Top