Top News

More Posts

   The Latest

Most Popular

અંકલેશ્વર : એક તરફ કોરોના સ્ટ્રેન (CORONA NEW STRAIN) સમગ્ર વિશ્વ ઉપરાંત ભારત અને ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે એવા સમયે પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગો કોરોના સંક્રમણથી બચવા માટે યોગ્ય પગલાં ન લઇ રહ્યાં હોવાનો રિપોર્ટ જિલ્લા કલેકટરને મળતાં તેમણે લાલ આંખ કરી છે.

ભરૂચ જિલ્લા કલેકટર (BHARUCH DISTRICT COLLECTOR) દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ અંતર્ગત જિલ્લાની તમામ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોને શરૂ થવાની મંજૂરી આપી હતી. જેમાં કોરોના સંક્રમણથી બચવા માટે જરૂરી તમામ પગલાં લેવાની પણ તાકીદ કરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ઉદ્યોગો દ્વારા જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (STANDER OPERATING SYSTEM)ના નિયમો જેમકે પોતાના ઉદ્યોગોનું પેસ્ટિસાઇડ્સથી કે પછી ફોગિંગ મશીનથી કોરોના વાયરસની સામે લડત આપવાના પગલા લેવામાં આવતા નથી. જેની સામે જિલ્લા કલેકટર દ્વારા ફરી એકવાર ઉદ્યોગોને તાકીદ કરવામાં આવી છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ અંગેનો પરિપત્ર ભરૂચ જિલ્લાની તમામે તમામ ઔદ્યોગિક વસાહતના મંડળોને મોકલવામાં આવ્યો છે, જેમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ઉદ્યોગકારો (INDUSTRIALIST) દ્વારા કંપનીમાં આવતા કર્મચારીઓની પણ પુરતી કાળજી લેવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આમાં જો કોઈપણ શરતચૂક થઈ અને કોઈપણ કંપનીમાં જો કોરોના સંક્રમિત કામદાર થાય તો એ કંપની સામે પણ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાની સાત ઉદ્યોગિક વસાહતોમાં 2500થી પણ વધુ એકમો હાલ કાર્યરત
નોંધનીય છે કે ભરૂચ જિલ્લાની સાત ઉદ્યોગિક વસાહતોમાં 2500થી પણ વધુ એકમો હાલ કાર્યરત છે, જે કોરોના સંક્રમણ (CORONA INFECTION)ના લૉકડાઉનના સમય પછી ધીમે ધીમે પાટે ચઢી રહ્યા છે. ત્યારે ઉદ્યોગકારોએ પણ પોતાના ઉદ્યોગોને અને કામદારોને સાચવવાની પૂરતી તકેદારી લેવી જોઇએ. જિલ્લા કલેકટર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જે રીતે અહેવાલ અને પરિપત્ર છે એ જોતાં હજુ પણ બેજવાબદાર ઉદ્યોગો પોતાના ઉદ્યોગની કે પોતાના કામદારોની પરવા કરતા હોય એમ લાગતું નથી. ત્યારે આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉપરાંત જિલ્લા લેબર કમિશનર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા નિયમિત રીતે ચેકિંગ હાથ ધરાય એ અનિવાર્ય છે.

To Top