ભારત (India)ની વિવિધ યુનિવર્સિટી (University)ઓમાં હજારો અફઘાન વિદ્યાર્થી (Afghan students)ઓ અભ્યાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ જોઈને તેઓ પોતાના દેશમાં પાછા...
જીવનના 6 દાયકા વીતાવ્યા બાદ પણ હરહંમેશ જવાન અને ઉર્જાથી ભરપૂર દેખાતા અભિનેતા અનિલ કપૂર (ANIL KAPOOR)માટે અનેક અફવાઓ ઉડતી રહે છે....
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 48 માં સત્રમાં ભારતે પાકિસ્તાન (India on Pakistan) પર જોરદાર હુમલો કર્યો. ભારતે કાઉન્સિલના લક્ષ્યો પર...
સુરત: (Surat) નર્મદ યુનિ.ની (Narmad University) એકેડેમિક કાઉન્સિલની આજે મળેલી બેઠકમાં રેગ્યુલર અને એક્ષટર્નલ મોડમાં પરસ્પર પ્રવેશ માટે મોડ પોર્ટેબિલિટી સહિત એકઝામ...
સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેકટ એવા 12 હજાર કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટ માટે આનુસાંગિક ગતિવિધીઓએ...
કોરોના મહામારીમાં વતનથી દૂર મુંબઈમાં અટવાઈ પડેલાં લાખો-હજારો શ્રમિકો-મજદૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ ઈન્કમટેક્સના સપાટામાં સપડાયો...
રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાનો મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનો હોટ ટોપિક બન્યો છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીની ગાદી પર બેસ્યા બાદ પહેલાં...
IPL 2021 બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. બીસીસીઆઈ (BCCI)એ જાહેરાત કરી છે કે આ વખતે આઈપીએલ (IPL) મેચો દરમિયાન ચાહકો સ્ટેડિયમ (stadium)માં...
ગુજરાતના રાજકારણમાં એકાએક ગરમાટો આવી ગયો છે. અમદાવાદના ઘાટલોડિયાના પહેલી ટર્મના ધારાસભ્ય કડવા પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી (GUJARAT...
અફઘાનિસ્તાન (Afghanistan)માં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કાયમી સરકાર અંગે અટકળો ચાલી રહી છે. હવે સમાચાર આવી રહ્યા...
સુરત: (Surat) ભાજપના (BJP) કાર્યકર્તા સામે બળાત્કારની (Rap) ફરિયાદ આપનાર ઉધનાની યુવતીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી પીછો કરવામાં આવતા યુવતીએ...
નવી દિલ્હી: મોદી કેબિનેટ (Modi cabinate)નો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય પ્રજા માટે સરળતા લાવશે. કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની અધ્યક્ષતામાં...
મુંબઈ: (Mumbai) બોલિવૂડના દિગ્ગજ નસીરુદ્દીન શાહ (Nasiruddin shah) ઇન્ડસ્ટ્રીના એવા કલાકારોમાંથી એક છે જે કોઈ પણ મુદ્દે પોતાનો નિખાલસ અભિપ્રાય આપતા ખચકાતા...
સુરત: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજીત મહિલા અંડર-19 વન ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ (under 19 one day cricker tournament) માટે સુરત...
આખો દિવસ રાજકીય ગરમાટાના અંતે નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિને આવતીકાલ પર ટાળવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ...
રાજ્યમાં ગયા રવિવારથી મેઘમહેર થઈ છે. સૌરાષ્ટ્રમાં અતિવર્ષાના લીધે પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. રાજ્યમાં વરસાદને પગલે એક જ દિવસમાં નવા ૧૭ ડેમો...
રાજ્યના નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળની જાહેરાત પહેલાં ગાંધીનગરમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવની સાથે બંધબારણે બેઠક કર્યા...
શ્રીજીની મૂર્તિને રાખીબેન મનભરીને તાકી રહ્યાં. બસ હવે બાપ્પા કાલનો દિવસ છે, આવતીકાલે અનંત ચતુર્દશી છે તો વિસર્જન કરવું પડશે. ઘર પાછું...
ઇઝરાયેલ સુરક્ષા મામલે જે કંઈ કરે છે તે વિશ્વમાં માપદંડ તરીકે સ્થાપિત છે. ઇઝરાયેલના સિક્યુરિટી સંબંધિત ઓપરેશન એટલાં બધા જાણીતાં થયાં છે...
અરે ઇ તી વડાપાંઉ વાલી મુલગી આહે ના –રૂપા – તીચા લગીન કેવ્હાં ચ ઝાલેલે આહે…’ મેં નવાઈ પામી શિંદે સામે જોયું....
એક ડિપ્લોમૅટ એટલે કે રાજદૂત-એક સ્પાઈ એટલે કે જાસૂસ અને એક રિપોર્ટર એટલે કે પત્રકાર. એ ત્રણેય વચ્ચે એક સામ્ય છે. ના,...
આગામી ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી આ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ મુજબ...
આમ તો વિચાર ન આવે, પણ ગણપતિ દાદાના આગમનમાં અનુભવ જોયો. આપણો ભારત દેશ સંસ્કૃતિ દેશ છે, પણ પશ્ચિમી દેશોનું અનુસરણ છેલ્લાં...
કોરોના રસીકરણ ઝુંબેશમાં રસીઓના કેટલા ડોઝ અપાયા તે આંકડાઓ ન્યુઝ પેપરમાં વંચાય અને કોરોનાની રસી મેળવવા માટેની લાઇનના દ્રશ્યો પણ દેખાય તો...
મુંબઈમાં દિલ્હીનું પુનરાવર્તન ! આરોપીને સી. સી. ટી.વી. કેમેરાની મદદથી પકડી લેવામાં આવ્યો. જુદી જુદી રાજકીય પાર્ટીઓના પ્રવકતાઓએ રાજનીતિની ગંદી રમત રમી,...
તા. 22-08-21ના ‘‘ગુજરાતમિત્ર’’ની રવિપૂર્તિમાં ‘‘જીવન સરિતાને તીરે’’ કોલમમાં ‘‘મા-બાપ સંતાનોને કેમ સુધારી શકતા નથી’’ શીર્ષક હેઠળનો શ્રી દિનેશ પંચાલનો લેખ વાંચી લખવાની...
ગુજરાતનાં પશુપાલનમંત્રીશ્રી કુંવરજી બાવળિયા સાહેબે મંત્રી બન્યા બાદ પશુઓ માટેનું ફરતુ દવાખાનું કેટલાંક જીલ્લાઓમાં શરૂ કર્યું છે. જે અંતર્ગત નવસારી જીલ્લાનાં ગણદેવી...
એક તિરંદાજ હતો.અચૂક નિશાનેબાજ. તેનું તાકેલું નિશાન ક્યારેય ન ચૂકે.એટલો અચૂક નિશાનેબાજ ગણાતો કે ભારે જોરથી ફૂંકાતા પવન વચ્ચે પણ ઝાડની ટોચનું...
ત્રણ મહિના પહેલાં આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને તેમની નવલકથા ‘ગુજરાતનો નાથ’ યાદ કરીને એક મહત્ત્વનો સવાલ કર્યો હતો! ગુજરાતનો નાથ કોણ...
સામાન્ય રીતે આપણને પૈસા-પદ અને માન મળવાની શરૂઆત થાય છે તે જીવનના લગભગ પચ્ચીસી પછી મળે છે. કોઈને શિક્ષણને કારણે, કોઈને તેના...
વસંતપુરાનાં રહીશોએ સાવલી જીઇબીનો કર્યો ઘેરાવ
હવે ભગવાનની પૂજાને પણ મોંઘવારીનુ ગ્રહણ, શ્રીફળના ભાવોમાંરૂ.15નો વધારો
વડોદરા : 3 સગીરને નોકરી પર રાખી બાળ મજૂરી કરાવતો શ્યામ રેસ્ટોરન્ટનો માલિક
વડોદરા : પરીણિતાનો પીછો કરી બીભત્સ માગણી કરનાર ચાર ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ
વડોદરા: સ્થાયી સમિતિની બેઠકમાં 40 કામોને મંજૂરી
વ્યારામાં પૂરપ્રકોપ: ઘરની સામગ્રી બચાવવા લોકોએ રાત્રિ ઉજાગરા કરવા પડ્યા
પૂર્ણા નદીનું જળસ્તર 2 કલાકમાં 4 ફૂટ વધતા તંત્ર ચિંતામાં મુકાયું, ડાંગ સાપુતારામાં રેલમછેલ
વડોદરા :ચાર દરવાજા વિસ્તારમાં હાઈ વોલ્ટેજ, નજરબાગ મોલમાં આવેલી દુકાનોમાં નુકસાન
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને જાનથી મારવાની ધમકી, પાકિસ્તાનથી ફોન આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી
સાંસદ ડો. હેમાંગ જોશીનો વિવિધ સંસદીય સ્થાયી સમિતિમાં સમાવેશ
હવે દિવાળી-છઠ પર મળશે કન્ફર્મ સીટ, રેલવે 10 હજારથી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
વડોદરા : MSUમાં વિવાદિત શિક્ષકોને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમનું રાજીનામુ લેવા NSUIની માંગ
વડોદરા : યુકેના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રેડિયોગ્રાફરને રૂ.15 લાખનો ચુનો ચાપડ્યો
નસવાડી તાલુકામાં રસ્તાને અભાવે દર્દીને ઝોળીમાં લઈ જવા આદિવાસીઓ મજબૂર
નસવાડીમાં નવરાત્રી પૂર્વે નાની માટલી (ગરબા)ને કલર કામ કરીને સજાવી રહેલા કારીગરો
નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીના હોદેદારોની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી જાહેર
વડોદરા તાલુકા પંચાયતના ભાજપના સભ્યનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય
ડભોઇમાં કેવાયસી અપડેટ માટે સવારથી લોકોની લાઇનો, ભારે રોષ
વડોદરાના અનેક ઘરને ડૂબાડનાર અગોરા મોલમાં આખરે ડીમોલિશન
શેરબજારની તેજી પર બ્રેક લાગીઃ આ મોટી કંપનીઓના શેર્સના ભાવ ગગડ્યા
પરાળ બાળવા સામે પગલા બાબતે સુપ્રીમ કોર્ટે CAQMને લગાવી ફટકાર, કહ્યું- બધુ જ હવામાં છે
ભારે પવન સાથે વરસાદથી શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના ખેડૂતોનો કેળાનો ઉભો પાક બરબાદ
ગણેશોત્સવ દરમિયાન સુરતમાં પત્થરમારો કરનારા આરોપીઓનો જામીન પર છૂટકારો
બોડેલી ખાતે જિલ્લા ભાજપ દ્વારા રેલી કાઢી, રાહુલ ગાંધીના વિરોધમાં ધરના પ્રદર્શન કરાયું…
કાનપુર ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને કારણે માત્ર 35 ઓવરની મેચ રમાઈ, બાંગ્લાદેશ 107/3
દેશમાં મંકીપોક્સનો ખતરો વધ્યો, આ રાજ્યમાં બીજો કેસ નોંધાયો
શિગેરુ ઇશિબા જાપાનના આગામી વડા પ્રધાન બનશે: પક્ષ પ્રમુખની ચૂંટણી જીતી
Bhool Bhulaiyaa 3: વધી મોંજુલિકાની શક્તિ, વિદ્યાબાલનનું હાસ્ય કંપાવી દેશે
હરિયાણામાં અમિત શાહે કહ્યું- દરેક અગ્નિવીરને પેન્શન વાળી નોકરી આપવામાં આવશે
દિલ્હી ઈદગાહ પાસે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા લગાવવાને લઈને તણાવ, MCDએ કામ અટકાવ્યું
ભારત (India)ની વિવિધ યુનિવર્સિટી (University)ઓમાં હજારો અફઘાન વિદ્યાર્થી (Afghan students)ઓ અભ્યાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ જોઈને તેઓ પોતાના દેશમાં પાછા જવા માંગતા નથી, પરંતુ તેમના માટે અહીં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.
નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલા અફઘાન વિદ્યાર્થીઓના વાલીઓ (parents) તેમના માટે નાણાં મોકલવામાં અસમર્થ છે, જેનાથી તેમની સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા આવા વિદ્યાર્થીઓની સંખ્યા 2142 છે. આમાં, 400 વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો સમયગાળો (study period) પણ સમાપ્ત થઈ ગયો છે, ત્યારબાદ તેમને મળતી શિષ્યવૃત્તિ (scholarship) પણ બંધ થઈ ગઈ છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે ICCR દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ સ્તરે અલગ અલગ શિષ્યવૃત્તિ મળે છે. આ મહત્તમ 25 હજાર રૂપિયા માસિક સુધી છે. પરંતુ જે વિદ્યાર્થીઓનો કોર્સ પીરિયડ પૂરો થયો છે, તેમને નિયમો મુજબ શિષ્યવૃત્તિ આપી શકાતી નથી.
મોટાભાગની મુશ્કેલીઓ આ અફઘાન વિદ્યાર્થીઓ સામે આવી રહી છે કારણ કે એક તરફ તેમના માતા-પિતા આર્થિક સંકટમાંથી પસાર થતા અફઘાનિસ્તાનથી તેમના માટે આર્થિક મદદ મોકલી શકતા નથી, તો અહીં તેમનો અભ્યાસક્રમ પૂરો થયા બાદ તેમને મળતી શિષ્યવૃત્તિ પણ બંધ થવા જઈ રહી છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 400 છે. ત્યારે હાલ એક મહત્વ પૂર્ણ સવાલ એ છે કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શું હોઈ શકે? અધિકારીના જણાવ્યા અનુસાર, આ વિદ્યાર્થીઓના વિઝાની અવધિ પણ સમાપ્ત થઈ ગઈ છે, જે તેને વધારવા માટે ગૃહ મંત્રાલયને વિનંતી કરવામાં આવી છે, પરંતુ અસલી સમસ્યા તેમને અહીં આર્થિક મદદ પૂરી પાડવાની છે. આ વિદ્યાર્થીઓને અહીં કોઈ કામચલાઉ રોજગાર મળતો નથી, જેના કારણે તેમની સમસ્યા વધી રહી છે.
વિષમ પરિસ્થિતિમાં ફસાયેલા અફઘાન વિદ્યાર્થીઓ સંસ્થાના બીજા અભ્યાસક્રમમાં પ્રવેશ લઈને અહીં રહેવાની અને શિષ્યવૃત્તિ ચાલુ રાખવાની શક્યતાઓ શોધી રહ્યા છે. એક તરફ, ભારતમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ પોતાના ઘરે પાછા જવા માંગતા નથી, તો બીજી બાજુ, અફઘાનિસ્તાનથી 800 જેટલા વિદ્યાર્થીઓએ ભારતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે અરજી કરી છે અને તેમની અરજી સ્વીકારવામાં આવી છે. પરંતુ અફઘાનિસ્તાનથી હવાઈ સેવાઓ બંધ થવાના કારણે તેઓ ભારત આવવા સક્ષમ નથી.
માહિતી અનુસાર, આ વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક સંસ્થાઓને વિનંતી કરી રહ્યા છે કે તેઓ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે વાત કરે અને તેમને ભારત આવવા માટે ખાસ વ્યવસ્થા કરવાની વિનંતી કરે જેથી તેઓ સુરક્ષિત રીતે ભારત પહોંચી શકે.