Top News

More Posts

   The Latest

Most Popular

ભારત (India)ની વિવિધ યુનિવર્સિટી (University)ઓમાં હજારો અફઘાન વિદ્યાર્થી (Afghan students)ઓ અભ્યાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ જોઈને તેઓ પોતાના દેશમાં પાછા જવા માંગતા નથી, પરંતુ તેમના માટે અહીં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.

નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલા અફઘાન વિદ્યાર્થીઓના વાલીઓ (parents) તેમના માટે નાણાં મોકલવામાં અસમર્થ છે, જેનાથી તેમની સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા આવા વિદ્યાર્થીઓની સંખ્યા 2142 છે. આમાં, 400 વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો સમયગાળો (study period) પણ સમાપ્ત થઈ ગયો છે, ત્યારબાદ તેમને મળતી શિષ્યવૃત્તિ (scholarship) પણ બંધ થઈ ગઈ છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે ICCR દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ સ્તરે અલગ અલગ શિષ્યવૃત્તિ મળે છે. આ મહત્તમ 25 હજાર રૂપિયા માસિક સુધી છે. પરંતુ જે વિદ્યાર્થીઓનો કોર્સ પીરિયડ પૂરો થયો છે, તેમને નિયમો મુજબ શિષ્યવૃત્તિ આપી શકાતી નથી.

મોટાભાગની મુશ્કેલીઓ આ અફઘાન વિદ્યાર્થીઓ સામે આવી રહી છે કારણ કે એક તરફ તેમના માતા-પિતા આર્થિક સંકટમાંથી પસાર થતા અફઘાનિસ્તાનથી તેમના માટે આર્થિક મદદ મોકલી શકતા નથી, તો અહીં તેમનો અભ્યાસક્રમ પૂરો થયા બાદ તેમને મળતી શિષ્યવૃત્તિ પણ બંધ થવા જઈ રહી છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 400 છે. ત્યારે હાલ એક મહત્વ પૂર્ણ સવાલ એ છે કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શું હોઈ શકે? અધિકારીના જણાવ્યા અનુસાર, આ વિદ્યાર્થીઓના વિઝાની અવધિ પણ સમાપ્ત થઈ ગઈ છે, જે તેને વધારવા માટે ગૃહ મંત્રાલયને વિનંતી કરવામાં આવી છે, પરંતુ અસલી સમસ્યા તેમને અહીં આર્થિક મદદ પૂરી પાડવાની છે. આ વિદ્યાર્થીઓને અહીં કોઈ કામચલાઉ રોજગાર મળતો નથી, જેના કારણે તેમની સમસ્યા વધી રહી છે.

વિષમ પરિસ્થિતિમાં ફસાયેલા અફઘાન વિદ્યાર્થીઓ સંસ્થાના બીજા અભ્યાસક્રમમાં પ્રવેશ લઈને અહીં રહેવાની અને શિષ્યવૃત્તિ ચાલુ રાખવાની શક્યતાઓ શોધી રહ્યા છે. એક તરફ, ભારતમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ પોતાના ઘરે પાછા જવા માંગતા નથી, તો બીજી બાજુ, અફઘાનિસ્તાનથી 800 જેટલા વિદ્યાર્થીઓએ ભારતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે અરજી કરી છે અને તેમની અરજી સ્વીકારવામાં આવી છે. પરંતુ અફઘાનિસ્તાનથી હવાઈ સેવાઓ બંધ થવાના કારણે તેઓ ભારત આવવા સક્ષમ નથી.

માહિતી અનુસાર, આ વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક સંસ્થાઓને વિનંતી કરી રહ્યા છે કે તેઓ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે વાત કરે અને તેમને ભારત આવવા માટે ખાસ વ્યવસ્થા કરવાની વિનંતી કરે જેથી તેઓ સુરક્ષિત રીતે ભારત પહોંચી શકે.

To Top