Vadodara

14 વર્ષની બાળકી પર વિધર્મીનો પાશવી બળાત્કાર

વડોદરા : વડોદરામાં હજૂ તો હિંદુ પ્રેમિકાની નિર્દોષ સાસુને વિધર્મી પ્રેમીએ રહેસી નાખ્યાં ના પડઘા તો શમ્યા પણ નથી ત્યાં જ ફરી લવ જેહાદની ઘટનાનો વિસ્ફોટ થતાં જ હિંદુ સમાજમાં ખળભળાટ મચી ગયો છે. ગોત્રી વિસ્તારમા રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી માસુમ વિદ્યાર્થિની બે માસ થી ટ્યુશન ક્લાસ મા જાય છે બપોરે ચારથી સાંજે છ વાગ્યાના ટ્યુશન ક્લાસમા મૂકવા લેવા તેના માતા પિતા જાય છે.બનાવના દિવસે માસુમે પરિવારને જણાવેલ કે મિત્રનો જન્મ દિવસ હોવાથી જવાની છું. રાબેતા મુજબ છૂટવાના સમય બાદ પણ મોડા સુધી પુત્રી ઘરે ના આવતા માતા એ બર્થ ડે હતી તેની માતાને જ ફોન દ્વારા પૂછતાછ દરમ્યાન ભાંડો ફૂટ્યો હતો.

ચોંકી ઉઠેલા પરિવારજનોએ વ્યાપક શોધખોળ બાદ મોબાઈલ ચેક કરીને અંદરના એક અજાણ્યા નંબર પર સંપર્ક કરતા સામેથી જવાબ મળ્યો હતો કે તેમની પુત્રી માંજલપુરમાં છે તેમ જણાવી લોકેશન મોકલ્યું હતું. જૉ કે ત્યાર બાદ પણ લાંબા સમય સુધી સગીરા ના આવતા અનેક કોલ કર્યા હતા. આખરે રીક્ષામાં એકલી જ આવેલી પુત્રીને પુછતાછ કરતા દર્દનાક હકીકત જણાવી હતી. મૂળ બિહારના મોહિન પઠાણ નામના વિધર્મી યુવકે વિદ્યાર્થિનીને બળજબરી પૂર્વક બાઇક પર બેસાડીને ફ્લેટ પર લઈ ગયો હતો જ્યાં હાજર બે મહિલાઓ મોઈનને પૂછ્યું કે આ કોણ છે?

મારી મિત્ર છે કહીને બેડરૂમમાં લઈ ગયો હતો અને શારીરિક છેડછાડ બાદ શરીર સબંધ બાંધવા બળજબરી કરતા સગીરાએ ના પાડી હતી તે સાથે જ આવેશમાં આવી ગયેલ મોઈને ધમકી આપી કે હુ કહું તેમ નહી કરે તો અહીંથી જવા નહિ દઉ અને જાન થી મારી નાખીશ. ત્યાર બાદ તેણી સાથે દુષ્કર્મ આચર્યું છે. અને શરીરની ભૂખ સંતોષી લીધા બાદ નરાધમે પીડિતાને રીક્ષામાં બેસાડીને તેના ઘરે મોકલતા પૂર્વે પણ લાલચ આપી હતી કે તારા મમ્મી પપ્પા કઈ પણ કહે તો હું તને લઇને ભાગી જઈશ અને નહી આવે તો ઉઠાવી જઈસ. આખરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોકસોનો ગુનો દાખલ થતાં જ પોલીસે આરોપી મોહિનની ધરપકડ કરી છે.

મોઈને ઈન્સ્ટા પર આયાન નામ બતાવીને મિત્રતા કેળવી
ભેજાબાજ મોહિન સગીરાના ઘર પાસે જ આવેલ એક ગેરેજમાં કામ કરતો હતો. ત્યાંથી સગીરાના અવર જવર દરમ્યાન મોઈનની દાનત બગડી હતી અને હિંદુ નામ આયાનનું બનાવટી એકાઉન્ટ ઇન્સટાગ્રામ પર બનાવ્યું હતું જે ના દ્વારા ફ્રેન્ડ રીક વેસ્ટ મોકલીને સંપર્કમાં આવ્યો હતો, સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી આરોપી નરાઘમ મોપેડ લઇને સગીરાના ક્લાસ પર ગયો હતો અને પોતાનો બર્થ ડે હોવાનું બહાનું કાઢ્યું હતું.નાદાન અને નાસમજ સગીરાને ભોળવીને પોતાના ફ્લેટ પર લઇ ગયો હતો અને શરીર ભુખ સંતોષવા સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

લવ જેહાદનો કાયદો હજુ કેટલી હદે કથળશે?
દેશના હિન્દુઓની મહિલાઓ યુવતીઓ તથા અને માસૂમ બાળકીઓ વિધર્મીઓની મેલી નજરથી ખૂદને ક્યારે સુરક્ષિત મહેસૂસ કરશે? ક્યાં સુધી હિન્દુઓની દીકરીઓને ફફડી-ફફડીને ભગવા ભાજપના રાજમાં જીવવું પડશે? પોલીસ આવા નરાધમો વિરુદ્ધ દાખલારૂપ કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરશે? લવ-જેહાદનો કાયદો માત્ર કાગળ પર જ બન્યો હોય તેમ બન્યા બાદ પણ વિધર્મીઓને લેશમાત્ર કાયદાની બીક જ નથી? લવ-જેહાદ કાયદાનો કડક અમલ ક્યારે થશે?

Most Popular

To Top