Gujarat

રાજ્યમાં કોરોનાના નવા માત્ર 16 કેસ, સૌથી વધુ અમદાવાદ શહેરમાં 7

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 16 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની ચાર મહાપાલિકાઓ અને 31 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 7, સુરત મનપા, વડોદરા મનપામાં 3-3, ગીર સોમનાથ, જામનગર મનપા અને નવસારીમાં 1-1 નવો કેસ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના 28 દર્દીઓ સાજા થતાં થયા છે. આમ સાજા થવાનો રીકવરી રેટ 98.76 ટકા રહ્યો છે. અત્યાર સુધી કુલ 8,14,830 દર્દીઓ સાજા થયા છે.

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 194 થઈ છે, જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 191 દર્દીઓ સ્ટેબલ છે. બુધવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,24,168 વ્યકિતઓને રસી આપવામાં આવી આજે 13 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ અને 10,172ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 34,610 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,59,960 વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 93,157 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 26,206 વ્યક્તિને બીજો ડોઝ મળીને કુલ 3,24,168 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,79,56,872 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top