Gujarat

રાજ્યમાં કોરોનાના નવા માત્ર 17 કેસ : સૌથી વધુ અમદાવાદ મનપામાં 5 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 17 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 5, સુરત મનપામાં 3 વડોદરા મનપામાં 2 અને આણંદ, જામનગર ગ્રામ્ય, જૂનગઢ ગ્રામ્ય, મહેસાણા, નવસારી, વડોદરા ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા તથા 26 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

મંગળવારે 42 દર્દીઓ સાજા થતાં થયા છે. સાજા થવાનો રીકવરી રેટ 98.75 ટકા રહ્યો છે. અત્યાર સુધી 8,14,637 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 226 થઈ છે, જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 221 દર્દીઓ સ્ટેબલ છે.

વધુ 3,43,187 વ્યક્તિને રસી આપવામાં આવી

મંગળવારે 171 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 4,525ને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 81,989 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 39,558ને બીજો ડોઝ, તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 1,85,965 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 30,979ને બીજો ડોઝ મળી કુલ 3,43,187 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,44,19,588 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top