Charchapatra

કાશ્મીર બાબતે થયેલી ભૂલ આજની સરકાર સુધારી રહી છે

કાશ્મીરના રાજા હરિસિંહે આઝાદી વખતે સ્વતંત્ર રહેવા માટે ભારત સાથે જોડાણ ન કરીને જે ભૂલ કરી તેનો લાભ લઇને પાકિસ્તાને ચડાઇ કરીને અડધું કાશ્મીર લઇ લીધું અને 370 મી કલમ દ્વારા વિશેષ દરજ્જો આપીને બીજી ભૂલ આપણા રાજકારણીઓએ કરેલ તેનું  પરિણામ આપણે ભોગવી રહ્યાં છીએ. વિશેષ દરજ્જો, મુસ્લિમ વસ્તી અને મુસ્લિમ શાસકો મોસાળમાં મા પીરસનાર જેવો ઘાટ થયો. શાસકોએ ઇસ્લામીકરણ કરવામાં કોઇ કસર છોડી નથી. હા, બે વર્ષથી ભાજપ સરકારે 370 મી કલમ નાબૂદ કરવાની જે હિંમત દાખવેલ છે તે કાશ્મીરને ભારતીય રાષ્ટ્રિય વાઘા પહેરાવશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી અને અન્ય રાજયોની જેમ જ કાશ્મીરનો વિકાસ થશે તે કાશ્મીરીઓના લાભમાં જ છે. ઇસ્લામીક આતંકવાદથી માહિતગાર થવું જરૂરી છે.
ગાંધીનગર – ભગવાનભાઇ ગોહેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top