Dakshin Gujarat

સગાઈ તૂટી જતાં મંગેતરે આમોદની યુવતિનું અપહરણ કર્યુ

ભરૂચ : સગાઈ તોડી નાખતા યુવતીનું તેના મંગેતર નયન પટેલે તેના સાગરિતો સાથે મારૂતી અલ્ટો ફોરવ્હીલ કારમાં અપહરણ (Kidnapping) કર્યુ હતું.આરોપીઓ યુવતીનું અપહરણ કરી સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ જાય છે, તેવી બાતમી મળતા પોલીસની (Police) ટીમે અમદાવાદ જિલ્લાના બગોદરા નજીક અરણેજ ગામ પાસે હાઈવે ઉપર નાકાબંધી કરી હતી. પોલીસે અપહૃત યુવતીને ગણતરીના સમયમાં સુરક્ષિત છોડવી આરોપીઓની ધરપકડ કરી હતી.આ ગુનામાં પકડાયેલ આરોપીઓને વધુ તપાસ માટે આમોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. ગુનાનો ભેદ ઉકેલવામાં PSI પી.એમ.વાળા સહીત અલગ અલગ ટીમને સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી નયનકુમાર નિતીનભાઈ પટેલ,ધવલકુમાર નિતીનભાઇ પટેલ,રૂવલકુમાર રજનીકાંત પટેલ, સ્મિતકુમાર ઉર્ફે ચિન્ટુ નિલેશભાઈ પટેલ, તરંગભાઈ અલ્પેશભાઈ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જોળવા ગામે યુવક સગીરાનું અપહરણ કરી ગયાની ફરિયાદ
પલસાણા: પલસાણાના જોળવા ગામે રહેતા પરપ્રાંતિય પરીવારની ૧૬ વર્ષની સગીરા તેના પડોસીને બજા૨માં જવાનું કહીને ઘરેથી નીકળી ગઇ હતી. ત્યારે સાંજ સુધી પરત ના આવતા સગીરાના પિતાએ શોધખોળ હાથધરી હતી અને તેમની નજીકમાં જ રહેતો મુળ ઉત્તર પ્રદેશનો પંકજ ભભુતિ પાંડે અવાર નવાર સગીરા સાથે વાત કરતો હોવાથી સગીરાના પિતાએ પણ તેની સાથે વાત કરવાના ના પાડી હતી. પંકજ પાંડેજ સગીરાને લગ્નની લાલચે લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરી ગયો હોવાની શંકાના આધારે સગીરાના પરીવારે પંકજની સામે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

Most Popular

To Top