National

ઇઝરાઇલી દૂતાવાસ પર થયેલા હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આ આતંકવાદી સંગઠને લીધી

નવી દિલ્હી (New Delhi): સમાચાર આવ્યા છે કે જૈશ-ઉલ-હિંદે (Jaish-Ul-Hind) શુક્રવારે દિલ્હીમાં ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટોની જવાબદારી લીધી છે. આ સમાચાર સોશિયલ મિડીયા પર વાયરલ થયેલા એક સંદેશ પરથી મળ્યા છે. જૈશ-ઉલ-હિંદ પાકિસ્તાન સ્થિત આતંકી જૂથ છે. જેના તાર અલ-કાયદા અને લશ્કરે તોયબા સાથે જોડાયેલા છે.

ઇઝરાઇલી દૂતાવાસની (Israeli embassy) બહાર શુક્રવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હાલમાં બ્લાસ્ટની પાછળ ઈરાની હાથની શંકા છે. પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક પત્ર મળ્યો છે, જેમાં લખ્યુ છે કે, ‘આ તો ફક્ત ટ્રેલર (trailer) છે.’. પત્રમાં ઈરાનના જનરલ કસીમ સોલેમાની (Gen. Qassem Soleimani) અને ઇરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક મોહસેન ફાખરીઝાદેહનો (nuclear scientist Mohsen Fakhrizadeh) શહીદ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનઆઈએ પણ વિસ્ફોટ સ્થળ પર હાજર છે અને તપાસ ચાલુ રાખતા સીસીટીવી અને સ્થળ પર મળેલા પત્રને વધુ તપાસ અને સ્પષ્ટતા માટે ફોરેન્સિક્સ ટીમમાં મોકલવામાં આવ્યા છે.

આ ઘટના પછી દિલ્હી પોલીસ સક્રિય થઇ છે. જણાવી દઇએ કે ડિલ્હી સહિત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પોલીસ પણ હાિ એલર્ટ પર છે. આ ઘટના પછી દિલ્હી પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે, જેમાં પહેલા તો તેમણે અહીંના CCTV કેમેરાના ફૂટેજ ચકાસવાથી શરૂઆત કરી છે. મળતી માહિતી મુજબ જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાં CCTV કામ કરી રહ્યા ન હતા. પરંતુ અન્ય જગ્યા પર CCTV કામ કરી રહ્યા હતા. પોલીસને આ ફૂટેજ પરથી એક ફૂટેજ મળ્યુ છે. જેમાં બે વ્યકતિ એક કારમાંથી નીચે ઉતરીને ઇઝરાઇલી દૂતાવાસની બહાર એક બેગ મૂકીને ફરી કારમાં બેસી ચાલ્યા જાય છે. પોલીસ હાલમાં આ કાર અને આ શખ્સોની ઓળખ શોધવા માટે મથી રહી છે.

જ્યારે આ બ્લાસ્ટ થયો રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક દિનની ઉજવણીના સમાપનમાં બીટિંગ રીટ્રીટ સમારોહમાં કેટલાક કિલોમીટર દૂર હાજર હતા ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમના ઇઝરાયલી સમકક્ષ ગબી અશ્કનાઝી સાથે વાત કરી હતી અને તેમને રાજદ્વારીઓ અને મિશનને સંપૂર્ણ રક્ષણ આપવાની ખાતરી આપી હતી. જણાવી દઇએ કે આ બ્લાસ્ટ બાદ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ (UP) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસ કોઇપણ કાવતરાને નિષ્ફળ કરવા માટે ખૂણે ખૂણે નજર રાખી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે (HM Amit Shah) આ બ્લાસ્ટ બાદ હાઇ લેવલ મીટિંગ બોલાવી છે. સાથે જ અમિત શાહે પોતાનો પશ્વિમ બંગાળનો પ્રવાસ પણ રદ કર્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top