World

“પન્નૂની હત્યા મામલે ભારતનું વલણ બદલાયું”- અમેરિકાના નામે ટ્રુડોએ નિશાન સાધ્યું

નવી દિલ્હી: ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે સતત વિવાદ (Controversy) ચાલુ છે. ત્યારે ખાલિસ્તાન (Khalistan) સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના મામલાને લઈને કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત અંગે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તમણે કહ્યું કે અમેરિકાના આરોપો બાદ ભારતના વલણમાં બદલાવ આવ્યો છે.

અમેરિકાએ એક ભારતીય નાગરિક પર પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હવે તેઓ (ભારત) સમજવા લાગ્યા છે કે તેઓ આ રીતે આગળ વધી શકતા નથી અને હવે સહકારમાં એક પ્રકારની નિખાલસતા છે અને તેઓ કદાચ પહેલા એટલા ખુલ્લા ન હતા.

ટ્રુડોએ વધુમાં કહ્યું કે, “અમે આ સમયે ભારત સાથે કોઈ સંઘર્ષમાં પડવા માંગતા નથી. અમે આના પર કામ કરવા માંગીએ છીએ. “અમે ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના પર આગળ વધવા માંગીએ છીએ, પરંતુ કેનેડા માટે લોકોના અધિકારો, લોકોની સુરક્ષા અને કાયદાના શાસન માટે ઉભા રહેવું મહત્વપૂર્ણ છે અને તે જ જગ્યાએ અમે તે કરવા જઈ રહ્યા છીએ.”

ટ્રુડોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને વિવાદ ચાલુ છે. તાજેતરમાં ટ્રુડોએ દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. આ વાતને નકારી કાઢતાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ટ્રુડોનો દાવો રાજકીય રીતે પ્રેરિત છે. આ પછી, વિવાદ એટલો વધી ગયો કે ભારતે નવી દિલ્હીમાં તૈનાત વધુ કેનેડિયન રાજદ્વારીઓને સંતુલન બનાવવા માટે દેશ છોડવા કહ્યું.

પીએમ મોદીએ શું કહ્યું?
બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પન્નુ પર લાગેલા આરોપો પર કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી કાયદાના શાસન માટે પ્રતિબદ્ધ છે અને જો કોઈ માહિતી આપશે તો તે તેની તપાસ કરશે.

તેમણે કહ્યું, “જો આપણા નાગરિકોમાંથી કોઈએ કંઈ સારું કે ખરાબ કર્યું હોય તો અમે તેની તપાસ કરવા તૈયાર છીએ. અમારી પ્રતિબદ્ધતા કાયદાના શાસન પ્રત્યે છે.” પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વિદેશમાં સ્થિત કેટલાક ઉગ્રવાદી જૂથોની ગતિવિધિઓથી ભારત ખૂબ જ ચિંતિત છે. કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે જોડવી મને યોગ્ય નથી લાગતી.

Most Popular

To Top