Gujarat

‘વેક્સિનેશન ઝડપી બનાવો, પ્રભારી સચિવો ત્વરીત જિલ્લા-શહેરોમાં પહોંચે’: સીએમની તાકીદ

ગાંધીનગર(Gandhinagar): કોરોનાના (Corona) કેસો વધતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) મનપાના કમિશ્નરો તથા જિલ્લા કેલકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. એટલું જ નહીં કોરોના તથા ઓમિક્રોનને (Omicron) કાબુમાં લાવવા માટે પગલા લેવા તાકીદ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી.

  • કોરોનાના કેસો વધતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મનપાના કમિશ્નરો તથા જિલ્લા કેલકટરો સાથે વીડિયો કોન્ફરન્સ
  • સુરત મનપા માટે એમ થેન્નારસન પ્રભારી સેક્રેટરી યથાવત રહ્યા

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસિંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી
સીએમ પટેલે જિલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું હતું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે, એટલું જ નહિ સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોંચાડવાનું સઘન આયોજન થયું છે.

કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે તેનો પણ લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.

હોમ આઈસોલેટેડ વ્યક્તિ અને હોસ્પિટલમાં દાખલ દર્દીનું સતત મોનિટરિંગ કરવા સીએમનો અનુરોધ

ટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને એવો પણ અનુરોધ કર્યો કે હતો કે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમીટ થયા હોય તેમનું પણ સતત મોનિટરીંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે. ગઈકાલે મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને મનપા વિસ્તાર તથા જિલ્લાઓ માટે પ્રભારી સચિવોની નિયુક્તિ કરી હતી. જેમાં ભરૂચમાં શામીના હુસેન, ડાંગમાં જયપ્રકાશ શીવહરે, નર્મદામાં પી ભારથી, નવસારીમાં કે કે નિરાલા, સુરત મનપામાં એમ થેન્નારસન, તાપીમાં સ્વરૂપ પી અને વલસાડમાં કે એમ ભીમજીયાણીની નિમણૂંક કરાઈ છે.

Most Popular

To Top