Gujarat

શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યનું મહત્વ સમજી નૂતન વર્ષનો પ્રારંભ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના નાગરિકોને દિવાળી (Diwali) અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નૂતન વર્ષના આરંભે આપણે શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યનું મહત્વ સમજીએ અને નવી શરૂઆત તરફ આગળ વધીએ.

  • શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યનું મહત્વ સમજી નૂતન વર્ષનો પ્રારંભ કરવા રાજ્યપાલની શુભેચ્છા
  • રાજ્યપાલે કહ્યું- નૂતન વર્ષના આરંભે આપણે શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યનું મહત્વ સમજીએ

આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, શિક્ષણ આપણને જ્ઞાન અને સર્જનશીલતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડે છે. શિક્ષણથી વિચારો અને સમજણ કેળવાય છે, જે સમૃદ્ધિની દિશા તરફ દોરી જાય છે. સંસ્કાર આપણા આચાર અને વિચારને મૂલ્યવાન બનાવે છે. સંસ્કારથી જ સમાજમાં સામંજસ્ય અને સહયોગની ભાવના બળવત્તર બને છે, જે સમૃદ્ધિનું સર્જન કરે છે.

સ્વસ્થ જીવનશૈલી, નિયમિત વ્યાયામ અને યોગ્ય-સાત્વિક-શુદ્ધ અને સંયમિત આહારથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, જેનાથી કાર્યક્ષમતામાં વધારો થાય છે અને સમૃદ્ધિ તરફ આગળ વધી શકાય છે. સારા સ્વાસ્થ્યથી જ સમૃદ્ધિ અને સફળતાની સંભાવના સર્જાય છે. શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્ય જ સમૃદ્ધિની આધારશીલા છે. દિવાળી અને નૂતન વર્ષના આ પવિત્ર પર્વે આવો, આપણે શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યના મહત્વને સમજીએ અને સફળતા-સમૃધ્ધિની નવી ક્ષિતિજો તરફ ડગ માંડીએ.

Most Popular

To Top