Gujarat

અમદાવાદના સોલા ખાતે ઊમિયાધામનો શિલાન્યાસ વિધિ સંપન્ન

અમદાવાદના સોલા ઊમિયાધામ મંદિરના ત્રણ દિવસીય ભવ્ય મહોત્સવના આજે ત્રીજા દિવસે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો મારફતે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સોલા ઊમિયા ધામ ખાતે શિલાન્યાસ મહોત્સવના આજે ત્રીજા દિવસે પોથી પધરામણી સાથે શરૂઆત કરાઈ હતી.

ત્યારબાદ પોથી પૂજા અને પોથી સ્થાપના કરવામાં કરી પહેલા સ્તંભની સ્થાપના કરી વિધિવત રીતે મંદિર નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સોલા ખાતે ભવ્ય ઉમિયાધામ મંદિરની સાથે પરિસરમાં હોસ્ટેલ, હોલ, આરોગ્ય ભવન સહિત પંદરસો કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટો પૂર્ણ કરાશે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, રાજ્ય કેબિનેટના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સુરેશભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top