Entertainment

મહેશ ભટ્ટના કારણે અંબાણી પરિવારના પ્રસંગમાં રણબીરને આલિયા ન આવ્યા!

મુંબઈ: બોલિવૂડના (Bollywood) ફેમસ ડાયરેકટર (Director) મહેશભટ્ટના સ્વાસ્થ્ય અંગે ચોંકવાનારો ખુલાસો સામે આવ્યો છે. ડાયરેકટર મહેશ ભટ્ટની થોડાં દિવસ પહેલા એંજો પ્લાસિટ એટલે કે હાર્ટની સર્જરી (Surgery) કરવામાં આવી હતી. આ જાણકારી તેઓના પુત્ર રાહુલ ભટ્ટટે આપી હતી તેણે કહ્યું હતું કે અંત સારો તો બઘું જ સારું. તેણે મહેશ ભટ્ટે અંગે જણાવ્યું કે હાલ તેઓનું સ્વાસ્થય (Health) સારું છે ચિંતા કરવા જેવી કોઈ પણ વાત નથી. આ સાથે તેઓ ઘરે પણ આવી ગયા છે. જાણકારી મુજબ જાણીતા ડાયરેકટર મહેશ ભટ્ટે પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું જેમાં 74 વર્ષીય મહેશ ભટ્ટને ડોકટરે (Doctor) કહ્યું હતું કે તેઓએ સર્જરી કરાવવી પડશે.

હવે જાણવા જેવી વાત તો એ છે કે આ અંગેની જાણ બહાર કેવી રીતે આવી તો જાણકારી મળી આવી છે કે 19 જાન્યુઆરીના રોજ અંબાણી પરિવારમાં મોટો પ્રસંગ હતો જેમાં બોલિવૂડની મોટી મોટી હસ્તીઓ હાજર હતી પરંતુ રણબીર અને આલિયા હાજર ન હતાં. આ કપલ અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટની રોકા સેરેમનીમાં જોવા મળ્યું હતું. જેના કારણે તેઓના ચાહકો એવું વિચારી રહ્યાં છે કે આલિયાના પિતાની સર્જરીના કારણે તેઓ આ ફંકશનમાં હાજર રહ્યાં ન હતાં. જો કે આ ફંકશનમાં નીતુ કપૂર જોવા મળી હતી.

જણાવી દઈએ કે વર્ષ 2022માં જ મહેશ ભટ્ટ નાના બન્યા હતા. આલિયાએ છોકરીને જન્મ આપ્યો હતો જેનું નામ રાહા રાખવામાં આવ્યું છે. મહેશ ભટ્ટે આ અંગે અગાઉ જણાવ્યું હતું કે હું ખુબ જ ખુશ છું તેમજ મારી બેબીએ એક બેબીને જન્મ આપ્યો છે. જેને લઈ હું ખુબ જ ખુશ છું. તેઓએ વધારામાં કહ્યું હતું કે નાનાનો રોલ ખુબ જ ચેલેન્જિંગ હોય છે. જણાવી દઈએ કે આલિયા પિતા મહેશ ભટ્ટની ખૂબ જ લાડકી છે.

Most Popular

To Top