Vadodara

ડેન્ગ્યુ 43, ચિકનગુનિયા 16, ટાઈફોડનો 1 અને ઝાડાઉલ્ટીના 50 કેસ

વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 43 કેસ મળી આવ્યા હતા. ચિકનગુનિયાના 16 નવા દર્દીઓ સામે આવ્યા છે.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 861 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 458 પર પહોંચ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડા ઉલ્ટીના 50 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 170 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 366 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 366 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ ,ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 227 સેમ્પલમાંથી 43 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના કિશનવાડી , બાપોદ -3 , નવાપુરા , રામદેવનગર -4 , વારસીયા , સુદામાપુરી , સંવાદ , એકતાનગર , છાણી , પંચવટી -3 , નવાયાર્ડ -2 , નવીધરતી -2 , ફતેપુરા -2 , સમા -4 , શિયાબાગ -2 , અટલાદરા , ગોકુલનગર , ગોત્રી -2 , તાંદલજા -3 , દિવાળીપુરા , સુભાનપુરા -2 , કપુરાઈ -2, માંજલપુરમાંથી 2 ડેન્ગ્યુના કેસ પોઝિટિવ મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 93 કેસો પૈકી 16 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરના વારસીયા -2 , નવીધરતી -3 , શિયાબાગ , અકોટા -2 , કપુરાઈ , ગોત્રી , પંચવટી , તાંદલજા , તરસાલી , દંતેશ્વર , વડસરમાંથી 2 ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા.જ્યારે ટાઈફોડનો 1 કેસ વારસીયા વિસ્તારમાંથી મળી આવ્યો હતો.તો બીજી તરફ મચ્છરોના કારણે 366 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 366 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top