દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ હટાવવામાં આવશે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગર્વનરને પ્રસ્તાવ મોકલ્યો

નવી દિલ્હી: (New Delhi) રાજધાની દિલ્હીમાં કોવિડ-19ના (Covid-19) કેસમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નર (Governor) અનિલ બૈજલને વીકએન્ડ કર્ફ્યુ (Weekend curfew) ખતમ કરવાની ભલામણ કરી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) દ્વારા LGને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં, બજારોમાં ઓડ-ઇવન સિસ્ટમને (Odd-even system) દૂર કરવા અને ખાનગી ઓફિસોને 50% ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવા પણ કહેવામાં આવ્યું છે. 

આ અગાઉ કોવિડના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને વીકએન્ડ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે જે શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી અમલમાં મુકાઈને સોમવારે સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહે છે. જો LG દિલ્હી સરકારના પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો તેને રદ કરવામાં આવશે.

દિલ્હીમાં કોવિડ-19ના 12,306 નવા કેસ, 43 લોકોના મોત
ગુરુવારે દિલ્હીમાં કોવિડ-19ના 12,306 નવા કેસ નોંધાયા અને વધુ 43 લોકોના મોત થયા, જ્યારે ચેપનો દર ઘટીને 21.48 ટકા પર આવી ગયો છે. આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પરથી મળી છે. માહિતી અનુસાર, 10 જૂન, 2021 પછી એક દિવસમાં કોવિડને કારણે થયેલા મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે. ગયા વર્ષે 10 જૂનના રોજ દિલ્હીમાં સંક્રમણથી 44 લોકોના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં ચેપને કારણે અત્યાર સુધીમાં 396 લોકોના મોત થયા છે.

બુધવારે, કોવિડ માટે 57,290 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે મંગળવારે 57,776 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બુધવારે, દિલ્હીમાં ચેપથી 35 લોકોના મોત થયા હતા અને 13,785 નવા કેસ નોંધાયા હતા જ્યારે ચેપ દર 23.86 ટકા હતો. ગયા ગુરુવારે, દિલ્હીમાં કોવિડ -19 ના 28,867 કેસ નોંધાયા હતા. રોગચાળો શરૂ થયા પછી એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે. તે જ સમયે, શુક્રવારે 24,383, શનિવારે 20,718, રવિવારે 18,286, સોમવારે 12,527 અને મંગળવારે 11,684 કેસ નોંધાયા હતા. ગયા શનિવારે દિલ્હીમાં ચેપનો દર 30.6 ટકા હતો. રોગચાળાના આ મોજામાં આ સૌથી વધુ ચેપ દર હતો. રવિવારે ચેપનો દર 27.9 ટકા, સોમવારે 28 ટકા અને મંગળવારે 22.5 ટકા નોંધાયો હતો. 

Most Popular

To Top