Madhya Gujarat

દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા જૈન ઉપાશ્રય ખાતે મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી

દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા દાહોદ જૈન ઉપાશ્રય ખાતે મહાવીર જન્મકલ્યાણક ની ધામધૂમ થી ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જૈન ધર્મના પાવન પર્વ પર્યુષણના પાંચમા દિવસ એટલે એકમના પાવન દિવસે દાહોદ જૈન સંઘ દ્વારા વેહલા સવારે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન ના દેરાસર ખાતે પૂજા કરવામાં આવી ત્યાર પછી સ્નાત્ર ભણાવવામાં આવ્યું અને પછી થયું શાંતિ કળશ અને બપોરે દોળતગંજ બજાર ઉપાશ્રયમાં પેહલા ચૌદ સ્વપ્ન ની બોલી બોલવામા આવી અને ત્યાર પછી દાહોદમાં બિરાજમાન સાધ્વીજી મહારાજ સાહેબ કલ્પવર્ષા શ્રીજી અને ભાવવર્ષા શ્રીજી દ્વારા ભગવાન શ્રીમહાવિર સ્વામીજી ના જન્મનું વાંચન કરવામાં આવ્યું અને ભગવાનના જન્મના વાંચન બાદ સમગ્ર દાહોદ સંઘ દ્વારા પ્રભુને પારણાં માં ઝુલાવી દાહોદ દોલતગંજ બઝાર જૈન ઉપાશ્રય થી શોભા યાત્રા નીકળી ગાંધી ચોક નેતાજી બઝાર થઈ હનુમાન બઝાર ચિંતામણી પારસનાથ દેરાસર ઉપર પૂર્ણ થઈ હતી.આ તમામ પ્રસંગે અઠ્ઠાઈ તપના તપસ્વીઓ તેમજ સમાજના શ્રાવક અને શ્રાવિકા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top