Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 39 કેસ : 23 જિલ્લાઓમાં એકપણ કેસ નહીં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે નવા 39 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન શુક્રવારે નવા નોંધાયેલા 39 કેસોમાં સૌથી વધુ સુરત મનપામાં 079, અમદાવાદ મનપામાં 05, વડોદરા મનપામાં 06, અમરેલી, નવસારી, ગાંધીનગર, સુરત ગ્રામ્યમાં 2-2, જ્યારે ભરૂચ, ગીર સોમનાથ, જામનગર મનપા, જુનાગઢ મનપા-ગ્રામ્ય, પાટણ, વડોદરા ગ્રામ્ય અને વલસાડમાં 1-1 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 606 છે, જેમાંથી 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 599 દર્દીઓ સ્ટેબલ છે. બીજી તરફ શુક્રવારે 70 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી 8,13,743 દર્દીઓ સાજા થયા છે. જેથી રાજ્યનો સાજા થવાનો રિકવરી રેટ 98.70 ટકા છે

શુક્રવારે 18-45 વર્ષ સુધીના 1,38,064 વ્યક્તિને પ્રથમ ડોઝ, 6,415 વ્યક્તિને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 47,136 વ્યક્તિે પ્રથમ ડોઝ, 70,414 વ્યક્તિને બીજો ડોઝ, જ્યારે 146 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 11,372ને બીજો ડોઝ મળી કુલ 2,73,547 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 2,90,27,804 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top