Entertainment

બોલિવુડનું આ કપલ શું આ વર્ષે બંધાશે લગ્નના પવિત્ર બંઘનમાં!

મુંબઈ: બોલિવુડના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી પોતાના સંબંધોના કારણે સતત ચર્ચામાં રહે છે. બંનેએ આજ સુધી પોતાના સંબંધોની પુષ્ટિ કરી નથી. પરંતુ બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ (Time) વિતાવતા જોવા મળે છે, જેના કારણે દાવો કરવામાં આવે છે કે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ (Date) કરી રહ્યાં છે. તે જ સમયે હવે સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના (Marriage) સમાચાર પણ આવવા લાગ્યા છે. આ બધાની વચ્ચે બંનેના લગ્નને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કપલ આ વર્ષે લગ્ન કરી લેશે.

એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારા આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશે. આ અહેવાલ મુજબ, બંનેએ ડિસેમ્બરની એક તારીખ પણ નક્કી કરી છે, જ્યારે સિદ્ધાર્થ અને કિયારા લગ્નના બંધનમાં બંધાશે. જોકે, બંનેના પરિવારમાંથી કોઈ આ લગ્ન વિશે વાત કરવા તૈયાર નથી. પરંતુ બંને તરફથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લગ્ન બાદ બંને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપશે.

જણાવી દઈએ કે ભૂતકાળમાં સિદ્ધાર્થ અને કિયારાના લગ્નને લઈને એક અન્ય રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિદ્ધાર્થ અને કિયારા આવતા વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારા એપ્રિલ 2023માં લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ બંનેના લગ્નના નવા અહેવાલે ચાહકોને ખુશ કરી દીધા છે.

નોંધનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના સંબંધોની શરૂઆત ફિલ્મ ‘શેર શાહ’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી હતી, પરંતુ રિયલ લાઈફમાં પણ બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગે છે. થોડા સમય પહેલા સિદ્ધાર્થ અને કિયારાના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ હવે બંને સાથે છે અને ભૂતકાળમાં બોલિવૂડ સેલેબ્સના ઘરે યોજાતી દિવાળી પાર્ટીઓમાં પણ બંને સાથે જોવા મળ્યા હતા.

Most Popular

To Top