Business

વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો પીએમ મોદી તથા અમીત શાહ નક્કી કરશે : પાટીલ

ગાંધીનગર : ભાવનગરની મુલાકાત દરમિયાન ભાજપ (BJP) પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદાવરોની પસંદગી પીએમ નરેન્દ્ર મોદી તથા અમીત શાહ કરવાના છે. પાટીલે તાજેતરમાં પાર્ટીના સીનિયર આગેવાનોની મહત્વની બેઠક યોજી હતી. જેમાં પેજ સમિતિની કામગીરી 31મી ઓગસ્ટ પહેલા જ પૂર્ણ કરી દેવા જણાવાયું હતું. પેજ સમિતિની 80 ટકા કરતાં વધુ કામગીરી પૂર્ણથી ચૂકી છે.

બીજી તરફ સંગઠન સાથે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વિવિધ સમાજના અડધો ડઝન કરતાં સમેલનો ગાંધીનગરમાં યોજી ચૂકયા છે. મુખ્યપ્રધાન આ સામાજિક સંમેલનોમાં સમાજના અગ્રણીઓને મળીને તેમની સાથે સીધો સંવાદ કરીને સમાજના વણઉકલ્યા પ્રશ્નો વિશે જાણીને તેનું ત્વરીત નિરાકરણ પણ લાવી રહ્યાં છે.

Most Popular

To Top