Dakshin Gujarat

ભરૂચ સહિત ગુજરાતના 21 રેલવે સ્ટેશનોની થશે કાયાપલટ, વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાનો તખ્તો તૈયાર

ભરૂચ: ભારતીય રેલવેએ (Indian Railway) ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. ત્યારે રેલવેના વિકાસલક્ષી અને માળખાકીય કાર્યોને વેગ આપવા માટે નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત રાજ્ય (Gujarat State) માટે રૂ.8332 કરોડનો અંદાજપત્ર (Budget) જાહેર કરવામાં આવ્યો છે. આ બજેટ વર્ષ 2009 થી 2014 વચ્ચે ફાળવવામાં આવેલા સરેરાશ બજેટ કરતાં 1315 ટકા વધુ છે. જેમાં વડોદરા ડીવીઝનના ભરૂચ સહિત 7 રેલ્વે સ્ટેશનો કાયાકલ્પ થશે.

રેલવે સ્ટેશનોને માત્ર સેવાના સાધન તરીકે જ નહીં, પરંતુ એક સંપત્તિ તરીકે બદલાવ સહિત વિકાસ માટે PM મોદીના વિઝનથી ભારતીય રેલવેએ આધુનિક સુવિધાઓ સાથે રેલવે સ્ટેશનોના વિકાસને ખૂબ મહત્વ આપ્યું છે, જેથી સામાન્ય રેલવે યાત્રીઓ પણ આરામદાયક, અનુકૂળ અને આનંદપ્રદ રેલ યાત્રાનો અનુભવ કરે છે.

  • નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત રાજ્ય માટે રૂ.8332 કરોડનો અંદાજપત્ર જાહેર કરાયો
  • વડોદરા ડીવીઝનમાં ભરૂચ, મિયાગામ કરજણ, વિશ્વામિત્રી, ડભોઈ, દેરોલ અને પ્રતાપનગર સહિત ગુજરાતના 21 સ્ટેશનોનો સમાવેશ

રેલવે સ્ટેશનોના સ્વરુપને બદલવાના આ પ્રયાસમાં ભારતીય રેલવેએ એક દૂરંદેશી નીતિ, અમૃત ભારત સ્ટેશન યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલવે સ્ટેશનોનો સતત વિકાસ કરવો તેમની માળખાકીય સુવિધાઓ, સુવિધાઓની સાથે-સાથે અને સુવિધાઓ તેમજ યાત્રીઓને સલામત, આરામદાયક અને નૈસર્ગિક યાત્રાનો અનુભવ પ્રદાન કરવા માટે સેવાઓમાં વધારો કરવાનો છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 120 સ્ટેશનો પશ્ચિમ રેલવેના કાર્યક્ષેત્રમાં છે. જેમાંથી 87 સ્ટેશનો ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં છે.

તા-6 ઓગસ્ટ 2023ના રોજ PM નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આમાંથી 21 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે. જેને લગભગ રૂપિયા 846 કરોડના ખર્ચે પુનઃવિકાસ અને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. વડોદરા ડીવીઝનમાં ભરૂચ, મિયાગામ કરજણ, વિશ્વામિત્રી, ડભોઈ, દેરોલ અને પ્રતાપનગર તેમજ મુંબઈ ડીવીઝનમાં સંજાણ સહિત ગુજરાતના 21 સ્ટેશનોનો સમાવેશ થાય છે.

આ સ્ટેશનોને ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ શહેરની બંને બાજુઓનું યોગ્ય સંકલન કરીને આ સ્ટેશનોને ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય વિવિધતાની ભવ્યતા દર્શાવતા આ પુનઃવિકસિત સ્ટેશનો નવી અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓની સાથે-સાથે હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે.

સ્ટેશનની બિલ્ડિંગોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને વાસ્તુકલાથી પ્રેરિત ગ્રીન એનર્જી વગેરેનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ બિલ્ડિંગ વગેરે. આ સ્ટેશનો જાહેર પરિવહનના અન્ય સાધનો સાથે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીની સુવિધા પણ પુરી પાડશે.

આ નવી અત્યાધુનિક સ્ટેશન બિલ્ડિંગો યાત્રીઓની યાત્રાને વધુ સુવિધાજનક અને આરામદાયક બનાવશે. તે શહેર માટે એક વધારાનું આકર્ષણ બનશે અને એરપોર્ટ જેવા વાતાવરણ સાથે યાત્રીઓ, તીર્થ યાત્રાળુઓ અને પ્રવાસીઓને આવકારશે. જેનાથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળશે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે.

Most Popular

To Top