National

ડુંગળીની નિકાસ ઉપર ભારતે ફરી લગાવ્યો પ્રતિબંધ, આ દેશોમાં કિંમતો વધવાની સંભાવના

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) પહેલા એક મોટો નિર્ણય લેતા ભારત સરકારે આજે શનિવારે ડુંગળીની (onion) નિકાસ પર લાંબા સમય સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધની (Prohibition) સમય મર્યાદા 31 માર્ચ સુધી હતી.

હવે આ પ્રતિબંધને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યો છે. આ ચોંકાવનારા નિર્ણયને દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે સામાન્ય ચૂંટણી દરમિયાન ડુંગળીના ભાવ વધી જાય. સરકારના આ નિર્ણયને કારણે કેટલાક વિદેશી બજારોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે છે.

ભારતે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવ્યો છે. ત્યારે સરકારના આ પગલાથી સામાન્ય ચૂંટણી પહેલા વિદેશી બજારોમાં ડુંગળીના ભાવ વધી શકે છે. વિશ્વના સૌથી મોટા ડુંગળી નિકાસકાર ભારત દ્વારા ડિસેમ્બરમાં લાદવામાં આવેલ પ્રતિબંધ 31 માર્ચે સમાપ્ત થવાનો હતો. અગાઉ વેપારીઓએ અનુમાન લગાવ્યું હતું કે આ પ્રતિબંધને દૂર કરવામાં આવશે કારણ કે નિકાસ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ અડધા થઈ ગયા છે અને આ સિઝનના ઉત્પાદનોનો તાજો પુરવઠો પણ આવી ગયો છે.

શુક્રવારે મોડી રાત્રે જાહેર કરાયેલા આદેશમાં સરકારે કહ્યું છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગળની સૂચના સુધી અમલમાં રહેશે. મુંબઈ સ્થિત નિકાસ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “નવા પાકમાંથી વધતા પુરવઠા સાથે ઘટતા ભાવને જોતાં આ વિસ્તરણ આશ્ચર્યજનક અને સંપૂર્ણપણે બિનજરૂરી છે.” ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના કેટલાક જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવ ડિસેમ્બરમાં રૂ. 4,500થી ઘટીને રૂ. 1,200 ($14) પ્રતિ 100 કિલો પર આવી ગયા છે.

ડુંગળીના ભાવ ચાર ગણા નીચે આવ્યા છે
નિકાસ કરતી કંપનીઓએ આ નિર્ણયને બિનજરૂરી ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે પુરવઠામાં વધારો અને ભાવમાં ઘટાડો થવા છતાં ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવી રહી છે. આ યોગ્ય નથી. મહારાષ્ટ્રમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ ઘટીને 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. ડિસેમ્બરમાં ડુંગળીના ભાવ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા હતા. બાંગ્લાદેશ, મલેશિયા, નેપાળ અને સંયુક્ત અમીરાત ભારતમાંથી આવતા ડુંગળી પર ઘણી હદ સુધી નિર્ભર છે.

Most Popular

To Top