Sports

કોહલીના નિવેદન બાદ BCCI એ કહ્યું, ‘બધાએ તેને સપોર્ટ કર્યો, ખબર નહીં તે કોના વિશે વાત કરી રહ્યો છે

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આ દિવસોમાં એશિયા કપ 2022 (Asia Cup 2022) સીઝનમાં રમી રહ્યો છે. અહીં તેણે તેની પ્રથમ ત્રણ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું અને તેની જૂની ખોવાયેલી લય પાછી મેળવી લીધી છે. હાલમાં જ કોહલીએ એક નિવેદન આપીને હંગામો મચાવ્યો છે. કોહલીએ રવિવારે જ પાકિસ્તાન સામે છેલ્લી મેચ રમી હતી, જેમાં તેણે 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. કોહલીની આ સતત બીજી અડધી સદી હતી. મેચ બાદ કોહલી ભાવુક થઈ ગયો અને કહ્યું કે જ્યારે તેણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે મહેન્દ્ર સિંહ ધોની સિવાય કોઈએ તેને મેસેજ પણ કર્યો ન હતો. હવે કોહલીના આ નિવેદન પર હંગામો થયો છે. ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સહિતના અધિકારીઓ પણ પોતાનો પક્ષ આપતા જોવા મળે છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બધાએ કોહલીનું સમર્થન કર્યું. તે શું વાત કરે છે તે ખબર નથી.

બીસીસીઆઈના અધિકારીએ ઈન્સાઈડસ્પોર્ટને કહ્યું, ‘જ્યારે તેને જરૂર હતી ત્યારે બ્રેક આપવામાં આવ્યો’, ‘વિરાટને દરેકનો સપોર્ટ મળ્યો છે. બીસીસીઆઈથી લઈને તેના સાથી ખેલાડીઓએ સપોર્ટ કર્યો. તેણે કહ્યું છે કે તેને સમર્થન મળ્યું નથી, આ ખોટું છે. જ્યારે તેને જરૂર હતી ત્યારે બ્રેક આપવામાં આવ્યો હતો. જ્યારે તેણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી ત્યારે બીસીસીઆઈના અધિકારીઓએ પણ સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છા પાઠવી હતી. તેથી મને ખબર નથી કે તે બીજી કઈ વાત કરે છે.

અમે ઈચ્છીએ છીએ કે તે રન બનાવતો રહે’
“કોહલી અને BCCI વચ્ચે કોઈ મતભેદ નથી. તેણે ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાન માટે દરેક વ્યક્તિ તેનું સન્માન કરે છે. તે ત્રણેય ફોર્મેટમાં ઉત્તમ અને મહત્વપૂર્ણ ખેલાડી છે. તેનું ફોર્મ યોગ્ય સમયે પાછું આવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે તે રન બનાવતો રહે. ઓસ્ટ્રેલિયા (T20 વર્લ્ડ કપ)માં તે ટીમ માટે સારું રહેશે.

સુનીલ ગાવસ્કરે કહ્યું કોહલીએ નામ આપવું જાઈએ
ભારતના મહાન બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કોહલીને પૂછ્યું છે કે તે કયા ખેલાડીઓ પાસેથી સંદેશની અપેક્ષા રાખતા હતા. તેઓએ નામ આપવું જોઈએ. ગાવસ્કરે સોમવારે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે વિરાટે તે ખેલાડીનું નામ જણાવવું જોઈએ કે જેનાથી તેને ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ કોલની અપેક્ષા હતી અને તે કેવા મેસેજની રાહ જોઈ રહ્યો હતો.

વિરાટ કોહલીએ શું કહ્યું?
રવિવારે પાકિસ્તાન સામેની મેચ બાદ કોહલીએ કહ્યું હતું કે, ‘જ્યારે મેં ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે માત્ર એક જ વ્યક્તિનો મેસેજ આવ્યો, તે હતો મહેન્દ્ર સિંહ ધોની. ઘણા લોકો પાસે મારા નંબર છે. ટીવી પર પણ ઘણા લોકો સૂચનો આપે છે. પરંતુ જેમની પાસે મારો નંબર છે તેમના તરફથી કોઈને કોઈ મેસેજ મળ્યો નથી. જ્યારે કોઈની સાથે અટેચ્મેન્ટ હોય અને તે આવી રીતે દેખાઈ આવે છે. બંને તરફથી સેફ ફિલ થાય છે. ન તો મારે તેમની પાસેથી કંઈ જોઈએ છે અને ન તો તેઓ મારી પાસેથી કંઈ ઈચ્છે છે.

Most Popular

To Top