National

બીએસએફના જવાનો પર પાકિસ્તાનનું ફાયરીંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: પાકિસ્તાને (Pakistan) ફરી એકવાર નાપાક હરકત કરી છે. પાકિસ્તાને સીઝફાયરનું (Seize Fire) ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સૈનિકોએ (Army) સરહદ (Border) પર વાડ લગાવી રહેલા BSF જવાનો પર ગોળીબાર કર્યો છે. જો કે બાદમાં ભારતીય જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. બીએસએફના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ અરનિયા સેક્ટરમાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી. આ પછી ભારતીય સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાની રેન્જર્સ ફેન્સીંગનો વિરોધ કરી રહ્યા હતા BSFએ કહ્યું કે પાકિસ્તાનના રેન્જર્સે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો. પાકિસ્તાની રેન્જર્સ સરહદ પર ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલી ફેન્સીંગના કામનો વિરોધ કરી રહ્યા હતા. આ પછી તેણે બીએસએફ જવાનો પર ગોળીબાર કર્યો. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી.

Most Popular

To Top