Entertainment

શહેનાઝ ગિલને ‘મૂવ ઓન’ કરવાની સલાહ આપવી ‘ભાઈજાન’ સલમાન ખાનને ભારે પડી

મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટર સલમાન ખાન (Salman Khan) કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં (The Kapil Sharma Show) ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની (Kisi ka Bhai Kisi ki Jaan) સ્ટાર કાસ્ટ સાથે પહોંચ્યો હતો, જે દરમિયાન સલમાને ખુલ્લેઆમ શહેનાઝ ગિલને (Shehnaz Gill) સલાહ આપી હતી કે સિદ્ધાર્થ શુક્લા (Sidhdharth Shukla) ના મૃત્યુ પછી તેણે હવે આગળ વધવું જોઈએ. આ સિવાય તેણે ‘સિદનાઝ’ના (Sidnaaz) ચાહકોને ઘણું સંભળાવ્યું પણ હતું. શહેનાઝને મૂવ ઓન કરવાની સલાહ આપવી સલમાન ખાનને ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા પર હવે સલમાન ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા એકબીજા સાથે સંબંધમાં હતા, જેમને પ્રેમથી ‘સિદનાઝ; કહેવામાં આવે છે. સિદ્ધાર્થનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ હાર્ટ એટેકથી મૃત્યુ થયા પછી પણ શહનાઝને ફેન્સ ‘સિદનાઝ’ કહે છે. હાલમાં જ સલમાન ખાન ‘સિદનાઝ’ના ફેન્સ પર ગુસ્સે થયો હતો. તેણે શહનાઝ ગિલને પણ આગળ વધવાની સલાહ આપી દીધી હતી.

સલમાન ખાને શહનાઝને મૂવઓન થવા સલાહ આપી હતી
સલમાન ખાને કપિલ શર્માના શોમાં કહ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ સિદનાઝ-સિદનાઝ થઈ રહ્યું છે. હવે તે (સિદ્ધાર્થ) આ દુનિયામાં નથી, તે જ્યાં પણ છે, તે પણ ઈચ્છશે કે કોઈ તેના (શહનાઝ) જીવનમાં આવે, લગ્ન કરે, બાળકો થાય. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો સિદનાઝ-સિદનાઝ નું રટણ કર્યા કરે છે, શું તે આખી જીંદગી કુંવારી રહેશે? આ બધા લોકો જે સિદનાઝ કરે છે, જો તે તેમાંથી કોઈને પસંદ કરે તો તે કહેશે કે હા, તે ઠીક છે. આ બકવાસ વાતો છે, કોઈની વાત ન સાંભળો. તમારા હદયનું સાંભળો. જીવનમાં આગળ વધો.”

સિદનાઝ ફેન્સ સલમાન ખાન પર ભડક્યા
હવે સલમાન ખાનની આ સલાહ શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુકલાને પસંદ કરનારા તેમના ચાહકોને ગમી નથી. તેઓ ખૂબ નારાજ થયા છે. સિદનાઝ ફેન્સ સોશિયલ મીડિયા પર સલમાનને ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝરે સલમાન ખાનના નિવેદનની મજાક ઉડાવતા કહ્યું, “એસકે ને ડાયલોગ બોલ દિયા. બહુ સારું, તમે સંવાદ વાંચ્યો, મને બીબીનો વીકેન્ડ કા વાર યાદ આવી ગયો. સિદનાઝને સત્તાવાર રીતે નેશનલ ટીવી પર કાપી નાખવામાં આવી હતી. સહાનુભૂતિ અને શ્રદ્ધાંજલિનો અંત? “

ઘણા લોકોએ શહેનાઝ ગિલનો રિએક્શન વીડિયો શેર કર્યો છે, જેમાં તે ચુપચાપ સલમાનને સાંભળી રહી છે. ફેને કહ્યું કે સિદનાઝ હતી, છે અને હંમેશા રહેશે. એક યુઝરે લખ્યું, “કભી હમને ભી સોચા થા સિદનાઝ કપિલ શર્માના શોમાં આવશે, પરંતુ આવું વિચાર્યું ન હતું. સલમાન ખાને નેશનલ ટીવી પર સિદ્ધાર્થના મોતની મજાક ઉડાવી હતી. આ રીતે લોકો સલમાન પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે અને સલમાન ખાનને જ્ઞાન ન આપવાનું કહી રહ્યા છે.

Most Popular

To Top