SURAT

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા સુરતથી ‘આપ’ માટે ચૂંટણી લડશે

ગાંધીનગર: ગુજરાત(Gujarat) વિધાનસભાની ચુંટણી(Election)ને લઇ આમ આદમી પાર્ટી(AAP)એ ઉમેદવારો (Candidate) ની 11મી યાદી(List) જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકી સુરતની વરાછા અને ઓલપાડ વિધાનસભા બેઠક પરનાં ઉમેદવારોનાં નામોએ ખાસ્સી ચર્ચા જગાવી છે. સુરતની વરાછા રોડ (Varachha Road) વિધાનસભાની બેઠક પરથી અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) ને ટિકિટ આપવામા આવી છે. જ્યારે ઓલપાડ (Olpad) બેઠક પરથી ધાર્મિક માલવીયા (Dharmik Malaviya)ને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. સુરતના ઉતર વિધાનસભા કાર્યાલય ખાતેથી આ નામોની જાહેરાત કરવામાં આવી છે. આ બંને ઉમેદવારો પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા.

અગાઉ 11 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા
અગાઉ બે તબક્કામાં કુલ 31 જેટલા ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. એમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠક પરથી પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વની બેઠકમાં વિરમગામમાં હાર્દિક પટેલ સામે આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરને ઉતાર્યા હતા. આજે સોમવારે તા. 7 નવેમ્બરે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.  આપ પાર્ટી અત્યાર સુધીમાં 139 ઉમેદવારો જાહેર કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચુંટણીનાં એલાન થયા પહેલાથી જ આપ પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરુ કરી દીધું હતું.

આમ આદમી પાર્ટીએ આ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી

  • ગાંધીધામ – બીટી મહેશ્વરી
  • દાંતા – એમકે બોમ્બડીયા
  • પાલનપુર – રમેશ નભાણી
  • કાંકરેજ – મુકેશ ઠાક્કર
  • રાધનપુર – લાલજી ઠાકોર
  • મોડાસા – રાજેન્દ્રસિંહ પરમાર
  • રાજકોટ ઈસ્ટ – રાહુલ ભુવા
  • રાજકોટ વેસ્ટ – દિનેશ જોશી
  • કુતિયાણા – ભીમાભાઈ દાનાભાઈ મકવાણા
  • બોટાદ – ઉમેશ મકવાણા
  • ઓલપાડ – ધાર્મિક માલવિયા
  • વરાછા રોડ – અલ્પેશ કથિરીયા

ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં આપ ગુજરાતમાં ચૂંટણી લડશે
આપ પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે તેઓની આ જાહેરાતથી પાટીદારો નારાજ થયા છે. કારણ કે આપ પાર્ટી પાટીદારોનાં જ ખભા પકડીને ઉભી થઇ છે. આપ પાર્ટીને ઊભી કરવામાં મોટો ફાળો ગોપાલ ઈટાલિયાનો હતો એવામાં મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીની જાહેરાત થઇ અને પ્રદેશ પ્રમુખ ઈટાલીયાને સરવેના નામે બાજુ પર મુકી દેવામાં આવતાં હવે આપ પાર્ટીમાં આંતરિક ડખા શરૂ થાય તો નવાઈ નહીં. ઈશુદાન ગઢવીની પસંદગીને પગલે પાટીદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે ઈશુદાન ગઢવીની પસંદગી આપને ભારે પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top