SURAT

સુરતમાં યુવક પર બેથી ત્રણ લોકો ચપ્પુ અને સળીયા લઈને તૂટી પડ્યા, મોત ન થયું ત્યારસુધી…

સુરત: શુક્રવારે મોડી રાત્રે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગરામપુરા(Sagarampura)માં એક યુવક(Young Man)ની ચપ્પુના ઘા અને સળિયા મારીને બે થી ત્રણ શખ્સોએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગત મુજબ જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકની હત્યા મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે, રિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમડી ડ્રગ્સનો નશો કરીને તેની ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી છે.

  • મોડી રાત્રે સગરામપુરા લોહાર મહોલ્લામાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા
  • સાજીદ રહેમાન શેખ નામના યુવાનની હત્યાથી ચકચાર

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સગરામપુરા લોહાર મહોલ્લામાં આલિશાન મંઝિલ નામની ઈમારતમાં રહેતાં સાજીદ રહેમાન શેખ નામના 39 વર્ષિય યુવકની આજ વિસ્તારમાં રહેતા મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે ભાઈઓએ ચપ્પુના ઘા અને સળિયા મારીને હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની વિગતો એવી છે કે જેની હત્યા થઈ છે તે સાજીદ રહેમાન શેખ સાથે અગાઉ એકાદ વર્ષ પહેલાં આરોપીઓની બબાલ થઈ હતી અને ત્યારે મરનાર સાજીદ રહેમાન શેખ આરોપી હતો. દરમિયાન શુક્રવારે આરોપી મહંમદ ઈરફાન શેખ અને તેના ભાઈ મહંમદ સાજીદ શેખ સગરામપુરા સ્થિત તલાવડી ખાતે પોતાની ચાની દુકાનમાં હતા ત્યારે સામે ઉભેલા સાજીદ રહેમાન શેખ સાથે અમારી સામે શા માટે જોયા કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. અને ચપ્પુ અને સળિયાના ઘા મારી ઢીમ ઢાળી દીધુ હતું. મોડી રાત્રે પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

MD ડ્રગ્સનો નશો કરીને હત્યા કરાઈ હોવાનો આરોપ
મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, 10 મહિના અગાઉથી રૂપિયાની માગ કરવામાં આવતી હતી. જે બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે. એમડી ડ્રગ્સનો નશો કરીને તેની ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી છે. 25 જેટલા ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી કબજે કર્યા છે, જેમાં બે લોકો દેખાતા હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે મને ફોનમાં માહિતી મળી હતી. જેથી હું આ ઘટનાસ્થળે પહેલા પહોંચ્યો, જ્યા હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top