Gujarat

રાજ્યમાં કોરોનાના વધુ 26 કેસ નોંધાયા,20 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપા અને વલસાડમાં કોરોનાના 6-6 કેસ સાથે કુલ 26 નવા કેસ નોંધાવા પામ્યા છે. બીજી બાજુ રાજ્યમાં કુલ 20 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,15,929 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 195 પર પહોંચી છે. જેમાંથી 05 વેન્ટિલેટર પર જ્યારે 190 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યાં નવા નોંધાયેલા 26 કેસમાં અમદાવાદ મનપા, વલસાડમાં 6-6, જૂનાગઢ ગ્રામ્યમાં 5, સુરત મનપામાં 4, વડોદરા મનપામાં 3, ખડા, નવસારીમાં 1-1 કેસનો સમાવેશ થાય છે.બુધવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 2,85,840 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

રાજ્યમાં આજે 18-45 વર્ષ સુધીના 79,149ને પ્રથમ ડોઝ અને 1,22,909ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 24,812ને પ્રથમ અને 55,988ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 2 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ અને 2980ને બીજો ડોઝ મળી આજે કુલ 2,85,840 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,59,98,048 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top