Gujarat

વડોદરાના જરોદ પાસે સુરતના પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, 8 વર્ષના બાળક સહિત 4નાં મોત

વડોદરા: વડોદરા(Vadodara) જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ (Jarod) પાસે ઉજ્જૈન (Ujjain) અને પાવાગઢથી (Pavagadh) દર્શન કરી પરત ફરી રહેલા સુરતના (Surat) પરિવારને ગમખ્વાર અકસ્માત (Accident) નડ્યો હતો. આ અકસ્માત 8 વર્ષના બાળક સહિત 4 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય 4 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર બુધવારે સવારે મૂળ રાજસ્થાનના અને સુરતમાં રહેતા પરિવારને વડોદરા જિલ્લાના વઘોડિયા નજીક અકસ્માત નડ્યો હતો. પરિવાર ઉજ્જૈન દર્શન માટે ગયો હતો. અને ત્યાર બાદ ફરતી વેળાએ પરિવારે પાવાગઢ મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. ત્યાર બાદ પરિવાર પાવાગઢથી દર્શન કરી સુરત ફરી રહ્યો હતો. ત્યારે વડોદરા નજીક જરોદ પાસે આવેલી હોટલ વે વેટ પાસે SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માત કારમાં સવાર 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા., જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મૃતકોના નામ

  • રાકેશ કનૈયાલાલ ગુર્જર (ઉ.08), (રહે. પલસાણા, સુરત)
  • પ્રકાશ રામાજી ગુર્જર (ઉ.35), (રહે. પલસાણા, સુરત)
  • રોશન રઘાજી કલાલ (ઉ.40), (રહે. પલસાણા, સુરત)
  • રઘાજી કિશોરજી કલાલ (ઉ.65), (રહે. પલસાણા, સુરત)

આ અકસ્માતની જાણ થતાં જ જરોદ પોલીસ અને NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. SUV કાર કન્ટેરન્ટની પાછળ ઘૂસી જતા NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કારનો આગળનો ભાગ કન્ટેનરમાં ઘૂસી જતા કારને બહાર કાઢવા માટે JCBની મદદ લેવામાં આવી હતી અને JCBની મદદથી કારને કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ પહેલા પણ વડોદરા શહેરમાં 4 ઓક્ટોબરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના મોત નિપજ્યાં હતાં.

કન્ટેનરની ટક્કરેથી છકડામાં સવાર 10નાં મોત થયાં હતાં
આ અગાઉ પણ વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા એરફોર્સ સ્ટેશન નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ 10 લોકોનાં મોક થયા હતાં. ઉપલ્બધ માહિતી અનુસાર 4 ઓક્ટોબરે સુરત તરફથી અમદાવાદ તરફ જઇ રહેલું કન્ટેનર ડિવાઇડર કૂદી સામેની સાઇડે એક છકડા સાથે અથડાયું હતું, જેમાં વડોદરા, દેવગઢ બારિયા અને પાવીજેતપુર સહિતના 10 લોકોનાં મોત થયાં હતાં.

Most Popular

To Top