સર્વોચ્ચ ન્યાયાલયે તેની આગળ મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તોની પસંદગીને લગતાં કાનૂન, ૨૦૨૩ સામે દાખલ કરવામાં આવેલ અરજીઓની સુનાવણી કરી. આ દરમ્યાન વિદ્ધાન ન્યાયમૂર્તિએ કેટલાક રસપ્રદ પ્રારંભિક અવલોકન/ટિપ્પણી/પ્રશ્ન કર્યાં, જે આ મુજબ છે: ચૂંટણી પંચ સ્વતંત્ર હોય એટલું પૂરતું નથી પણ તે સ્વતંત્ર છે એમ દેખાવું પણ જોઈએ; સ્વતંત્ર ચુનાવ આયુક્તો વિના ચૂંટણી પંચ સ્વતંત્ર હોય શકે નહીં; ચૂંટણી આયુક્તઓની નિમણૂંક બાબતની નિષ્પક્ષતાનો આ દેખાડો શા માટે? – કેમકે પસંદગી સમિતિ જ્યારે ત્રણ સદસ્યો (વડાપ્રધાન, એક કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા) ની બનેલી હોય ત્યારે સ્વભાવિક છે કે વિરોધ પક્ષના નેતાનો રોલ શોભાના ગાંઠિયા જેવો બની જાય છે (કેમકે કેન્દ્રીય મંત્રીનો મત સ્વાભાવિક જ વડાપ્રધાનના મત સાથે રહેવાનો અને પસંદગી ૨/૧ ની રહેવાની); જો CBI ના ડિરેક્ટરની પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશ હોય તો ચુનાવ આયુક્તોની પસંદગી સમિતિ (જ્યાં પ્રશ્ન લોકશાહીનો છે) માં મુખ્ય ન્યાયાધીશ શા માટે નહીં?; કાયદા ઘડવાની સત્તા સંસદને છે પરંતુ તેનું અર્થઘટન (બંધારણ સંદર્ભે) કરવાની સત્તા સર્વોચ્ચ ન્યાયાલય પાસે છે; અને બહુ તો એ કહી શકાય કે એ (કાયદો) બંધારણના આર્ટિકલ-૧૪ નું ઉલ્લંઘન કરે છે.
નવસારી. – કમલેશ આર મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.