ગુજરાતમાં ચૂંટણીમાં થોડાં વર્ષોથી નવી ફૅશન શરૂ થઈ છે. બિનહરીફ વિજય મેળવી લેવાની. સામાન્ય રીતે બિનહરીફ હોવું એટલે કોઈ એવો સક્ષમ ઉમેદવાર કે જેની સામે સર્વ પ્રજા એકમત હોય.એવી વ્યક્તિની સામે કોઈ ઉમેદવાર ઉમેદવારી કરવા તૈયાર જ ન હોય. આવો ઉમેદવાર સ્વચ્છ છબીનો, ઈમાનદાર, ન્યાયપ્રિય, શિક્ષિત, સશક્ત અને લોકચાહના ધરાવતો હોવો જોઈએ. તો બિનહરીફ વિજય એ સાચા અર્થમાં બિનહરીફ ગણી શકાય. પરંતુ અહીં તો ધાકધમકી, દાદાગીરી, બળજબરીથી વિરોધ પક્ષના ઉમેદવારોને લોભ લાલચ આપી કાવાદાવાઓ કરી અને સમગ્ર સત્તાનો ઉપયોગ કરી મજબૂરીમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચાવી લેવામાં આવે. પછી બણગાં ફૂંકવામાં આવે, વિકાસના અને પ્રજાના વિશ્વાસના. આનાથી વિશેષ લોકશાહીની હત્યા બીજી કોઈ હોઈ ન શકે. આ ઇમર્જન્સી કરતાં પણ વધારે ખરાબ સમય લોકશાહીના ઇતિહાસમાં ચાલી રહ્યો છે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે