ગાંધીનગર : રાજયમાં હાલમાં ઠંડીમાં થોડી રાહત છે પરંતુ આગામી 24 કલાક પછી તાપમાનનો પારો 2થી3 ડિગ્રી સુધી નીચે ગગડી જશે. આજે સોમવારે રાજયમાં કેશોદમાં તાપમાનનો પારો 12.8 સુધી ઉતરી ગયો હતો. જયારે ભૂજમાં 34 ડિ.સે., કંડલામાં 33 ડિ.સે., પોરબંદરમાં 33 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 31 ડિ.સે., ડીસામાં 32 ડિ.સે., અમદાવાદમાં 31 ડિ.સે. અને સુરતમાં 31 ડિ.સે. ગરમી નોંધાવવા પામી હતી.
રાજયમાં આજે સોમવારે ઠંડીનો ચમકારો ઘટયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં ઊંચુ તાપમાન નોંધાવવા પામ્યુ છે. કેશોદમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે. આજે રાજયની સૌથી વધુ ઠંડી 12.8 ડિ.સે. કેશોદમા નોંધાવવા પામી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં આગામી 24 કલાક બાદ 2થી 3 ડિગ્રી જેટલી ઠંડીનો પારો નીચે ગગડી જશે.
હવામાન વિભાગના સુત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી ભૂજમાં 17 ડિ.સે.,નલિયામાં 15 ડિ.સે.,કંડલા પોર્ટ પર 18 ડિ.સે.,કંડલા એરપોર્ટ પર 15 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે.,રાજકોટમાં 15 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે.,મહુવામાં 14 ડિ.સે., કેશોદમાં 12.8 ડિ.સે., અમદાવાદમાં 17 ડિ.સે.,ડીસામાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 17 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિ.સે.,વડોદરામાં 14 ડિ.સે.,અને સુરતમાં 19 ડિ.સે.,અને દમણમાં 17 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.