ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો આ હુમલામાં ડઝનબંધ આતંકવાદીઓને મારીને લીધો છે. આ હુમલા બાદ ભારતમાં દરેક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ તણાવ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ભારતીય ક્રિકેટ જગતની સૌથી મોટી ટુર્નામેન્ટમાંની એક એવી IPL 2025 હાલમાં ચાલી રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘણી IPL મેચો રમાઈ રહી છે. આ મેચો વચ્ચે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ને એક ધમકીભર્યો મેઇલ મળ્યો છે. આ મેલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલમાં લખ્યું છે, ‘અમે તમારા સ્ટેડિયમને ઉડાવી દઈશું’. આ ઇમેઇલ પાકિસ્તાનના નામે GCA ને આવ્યો છે.
સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી
આ મેઇલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આ મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ધમકી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી આવી છે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આગામી સમયમાં આ સ્ટેડિયમમાં IPLની બે મહત્વપૂર્ણ મેચ રમાશે. આ કારણે અમદાવાદમાં માત્ર સ્ટેડિયમ જ નહીં પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં પણ તપાસ શરૂ થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ IPL ટીમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. આ સ્ટેડિયમમાં ગુજરાતની ઘણી મેચો રમાઈ છે. ગુજરાતની ટીમ 14 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે અને 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ જ સ્ટેડિયમમાં મેચ રમશે.