Vadodara

ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો..

ભાજપના સદસ્યતા અભિયાન-2024ના કાર્યકમ અંતર્ગત પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદે સંકલ્પભૂમિ ખાતે બાબાસાહેબ ને પુષ્પાંજલિ અર્પિત કરી

ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન-2024અંતર્ગત સંગઠન પર્વમાં શહેરમાં નવા સભ્યો બનાવવાનું અભિયાન શરૂ કરાશે. ત્યારે આજરોજ સદસ્યતા અભિયાન-2024ના પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદ દિનેશભાઇ મકવાણા આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે સંકલ્પ ભૂમિની મૂલાકાત લીધી હતી અને બાબાસાહેબ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ પ્રસંગે તેમણે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી દ્વારા સંકલ્પ ભૂમિની જગ્યા નોવિકાસ કરાયો હતો તે વાત કરી હતી સાથે જ આગામી 23મી સપ્ટેમ્બર ના રોજ સંકલ્પદિન નિમિત્તે વધુમાં વધુ લોકો સંકલ્પ ભૂમિ ખાતે આવે તેવી અપીલ કરાઇ હતી. આ કાર્યક્રમમાં તેમની સાથે વડોદરાના મેયર પિન્કીબેન સોની પૂર્વ મેયર સુનીલ સોલંકી,ભાજપ,અનુસૂચિત જનજાતિ મોરચા વડોદરાના પ્રમુખ હર્ષદભાઇ વકીલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં

Most Popular

To Top