Entertainment

ફિલ્મ નિર્માતા અલી અકબર અને તેમના પત્નીએ હિન્દુ ધર્મ અપનાવ્યો, કારણ જાણી ચોંકી જશો

નવી દિલ્હી: (Delhi) દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના (Bipin Rawat) નિધન પર સમગ્ર દેશ શોક વ્યક્ત કરી રહ્યો હતો, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા (Social Media) પર કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા હતા. કટ્ટરવાદીઓની આ ક્રિયાઓથી દુઃખી થઈને મલયાલમ ફિલ્મોના નિર્દેશક અલી અકબર અને તેમની પત્ની લુસિયામ્માએ ઈસ્લામ (Islam) છોડીને હિંદુ ધર્મ અપનાવવાનો (Conversion) નિર્ણય લીધો છે.

ફિલ્મ નિર્માતા અલી અકબરે ફેસબુક પર લાઇવ જાહેરાત કરી કે, તે અને તેની પત્ની ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવશે. તેમણે પોતાનું નામ બદલીને ‘રામસિમ્હન’ કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દેશના બહાદુર પુત્રનું આવું અપમાન સ્વીકાર્ય નથી. અકબરે એમ પણ કહ્યું કે, તેમણે ઇસ્લામમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. અકબરની આ પોસ્ટ પર ઘણા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા લોકો તેમનું સમર્થન પણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે આ પહેલા ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન (former chairman of the Shia Waqf Board) વસીમ રિઝવી ( Wasim Rizvi) એ 6 ડિસેમ્બરના રોજ ઈસ્લામ (Islam) ધર્મ છોડીને હિંદુ (Hindu) ધર્મ અપનાવી લીધો હતો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા શિવશક્તિ ધામના ડસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ વસીમ રિઝવીને સનાતન ધર્મ સ્વીકાર કરાવ્યો હતો. આ સમયે મહંત નરસિંહાનંદ ધાર્મિક વિધિઓ પણ કરી હતી. ધર્મ પરિવર્તન પછી રિઝવી ત્યાગી સમુદાય સાથે જોડાશે. તેમનું હિન્દુ નામ જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી ( Jitendra Narayan Singh Tyagi) રાખવામાં આવ્યું છે. ધર્મ પરિવર્તન પહેલા રિઝવીએ કહ્યું હતું કે નરસિંહાનંદ ગિરી મહારાજ તેમનું નવું નામ નામકરણ કરશે.

ધર્માંતરણ બાદ વસીમ રિઝવીએ કહ્યું કે આજથી તેઓ હિન્દુત્વ માટે જ કામ કરશે. તેમણે કહ્યું કે મુસ્લિમોનો મત કોઈ રાજકીય પક્ષને જતો નથી. મુસ્લિમો હિંદુત્વની વિરુદ્ધ અને હિંદુઓને હરાવવા માટે જ મત આપે છે. આ અગાઉ તેમણે એક વસીયત પણ લખી હતી અને તે વસીયતને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. તેમણે વસીયતમાં લખ્યું હતું કે તેમને ઈસ્લામ રીવાજ અનુસાર દફનાવામાં નહીં આવે તેના બદલે તેને હિન્દુ રીતિરીવાજ પણે અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમના આ નિવેદન બાદ ઘણા લઘુમતી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એમ પણ લખ્યું હતું કે તેમના મૃત્યુ બાદ મહંત નરસિંહાનંદ જ તેમની ચિતાને અગ્નિદાહ આપે. જોકે, મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે તેને ઈસ્લામ અને શિયા સાથે કોઈ લેવાદેવા નથી.

Most Popular

To Top