Gujarat

17 સપ્ટેથી 7 ઓકટો. સુધી પ્રદેશ ભાજપ દ્વારા પીએમ મોદીના જન્મદિનની ઉજવણીના કાર્યક્રમો

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી પીએમ બન્યા તે સમયગાળાને ધ્યાને રાખીને પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા સેવા – સમર્પણ અભિયાન તા.17મી સપ્ટે.થી 7 ઓકટો સુધી શરૂ કરાશે.તા.17મી સપ્ટે. ના રોજ પીએમ મોદીનો 71મો જન્મ દિન ઉજવવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં કમલમ ખાતે પાર્ટી અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં મહત્વની બેઠક મળી હતી.

જેમાં નરેન્દ્ર મોદીએ 7મી ઓકટો.ના રોજ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારથી શરૂ કરીને પીએમ બન્યા ત્યાં સુધીના કુલ 20 વર્ષ સેવાકિય જવાબદારી નિમિત્તે સેવા અને સમર્પણ અભિયાન યોજાનાર છે. જેમાં પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે.આ બેઠકમાં પ્રદેશ ભાજપના સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર તેમજ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ સહિત હોદ્દેદારો પણ હાજર રહ્યાં હતાં.

Most Popular

To Top