Gujarat

આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ભારે વરાસદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 108 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં સુરત સિટીમાં 4 ઇંચ, પલસાણામાં સાડા ત્રણ ઇંચ, વાપીમાં 3 ઇંચ, ડેડિયાપાડામાં અઢી ઇંચ, કામરેજમાં અઢી ઇંચ, ઉમરગામમાં સવા બે ઇંચ, જલાલપોરમાં અને નવસારીમાં બે ઈંચ વરસાદ થયો હતો. 20 તાલુકાઓમાં 1થી 4 ઈંચ વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકમા રાજયમાં 121 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં 3.3 ઈંચ વરસાદ થયો હતો. બનાસકાંઠાના સૂઈ ગામમાં 3 ઇંચ, કોટડા સાંગાણીમાં પોણા ત્રણ ઈંચ વરસા થયો હતો. સરેરાશ 25 તાલુકાઓમાં 1થી સાડા 6ણ ઈંચ વરસાદ થયો હતો .

દરમ્યાનમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. રાહત નિયામક સી.સી. પટેલે આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજય પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૫૦.૮૪ ટકા છે.

હવામાન વિભાગના સીનીયર વૈજ્ઞાનિકે બેઠકમાં કહ્યું હતું કે આગામી ત્રણ દિવસમાં સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીના પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે.

એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ફકજ પર ગોઠવવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે અને ૬ ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા આદેશ કરાયો છે.

કૃષિ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ચાલુ વર્ષે તા. તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૧.૫૫ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૮૪.૪૮ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૫.૩૩ ટકા વાવેતર થયુ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના સૂત્રોએ કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૬૧,૮૭૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૪૫ ટકા છે. સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૧૦,૪૯૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૫.૭૦ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૯ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૧૨ જળાશય છે.

Most Popular

To Top