Vadodara

સ્થાયી સમિતિમાં પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાના કામને મંજૂરી, વેપારીઓને વૈકલ્પિક  વ્યવસ્થા કરી અપાશે 

  • પદમાવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવાયો
  • વેપારીઓ દ્વારા ભાજપા પ્રમુખ સાથે બેઠક કરવામાં આવી

હેરીટેજ ઇમારતોની શોભા વધારવા માટે વડોદરા શહેરના મધ્યમાં બનેલા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની પાલિકાની હિલચાલ સામે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ ઈમારતને તોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી. વેપારીઓ દ્વારા ભાજપાના પ્રમુખ સાથે બેઠક કરી આ અંગેની  માગ કરી હતી. જો કે સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો જેને સહુએ વધાવ્યો હતો 

શહેરના મધ્યમાં આવેલી ન્યાય મંદિરની અતિ પૌરાણિક અને હેરીટેજ ઈમારતને સાચવી શકાય અને ખાસ હેવ્રીતેજ કોરીડોર બનાવી શકાય તે માટે પાલિકા દ્વારા 40-50 વર્ષ જુના પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવા માટેની હિલચાલ ચાલી રહી છે. થોડા સમય પહેલા આ માટે વેપારીઓ સાથે પાલિકાના અધિકારીઓ અને ચુટાયેલા પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઈ હતી. તેમ છતાય તેઓ કોઈ નિર્ણય પર પહોચ્યા ન હતા.

આશરે 235 જેટલી દુકાનો પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી છે. જે દુકાનોમાં નાનો મોટો વેપાર કરતા વેપારીઓના પરિવાર દુકાનમાં થતા વ્યાપાર પર જ નભે છે. પાલિકા દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડીને સુરસાગરની સામેનો વિસ્તાર ખુલ્લો કરીને ન્યાયમંદિર હેરીટેજ ઈમારતની શોભા વધરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. જોકે વેપારીઓને તેઓની દુકાનના બદલે બીજી દુકાનો આપવાની પાલિકાએ કોઈ લેખિત ખાતરી આપી નથી.

પાલિકાના નિર્ણયના વિરોધમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના દુકાનદારોએ તમામ દુકાનો બંધ રાખીને સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહિ આવે ત્યાં સુધી શોપિંગ સેન્ટર તોડી શકાશે નહિ તેવી માંગણી વેપારીઓએ કરી હતી. વારંવાર થયેલી મંત્રણા બાદ પણ કોઈ નિર્ણય પર નહિ પહોચતા આજે વેપારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.

દુકાનદારોને ટીપી 9 નાગરવાડામાં વૈકલ્પિક જગ્યા ફાળવી આપવા કમિશ્નરની ભલામણ

પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી પાડવામાં આવશે. જે અંગેનો નિર્ણય સ્થાયી સમિતિમાં કરી દેવામાં આવ્યો છે. જે બાબતે વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા માટે માગ કરવામાં આવી હતી. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ અલગથી દરખાસ્ત મૂકી છે. જેમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના દુકાનદારોને વુડા બિલ્ડીંગ ટીપી 9 ના ફાયનલ પ્લોટ 1 નાગરવાડામાં ફાળવવામાં આવેલી જગ્યા સિવાયની બાકી રહેતી અંદાજે 12109.  કરી ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરમાં ડ્રો પદ્ધતિથી સમાવેશ કરી હાલમાં જેટલી દુકાન છે તેટલી દુકાન ફાળવી આપી સાથ માં સુધી આપવા વિચારણા હેઠળ છે. જયારે દુકાનદારો ખાલી કરે ત્યારે વિકલ્પે અકોટા સયાજીનગરગૃહની બાજુમાં આવેલા અગ્રાઉન્ડની જગ્યા ખાલી કરાવી જ્યાં સુધી નવી જગ્યાનો ફાળવણી પત્ર ન આપવામાં આવે ટી સુધી ભાડું વસૂલી વપરાશ માટે આપવા દરખાસ્ત મુકવામાં આવી છે.

કોર્પોરેટરોએ ફટાકડા ફોડી નિર્ણયને વધાવ્યો 

શહેરમાં હેરીટેજના વિકાસ માટે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણયને તમામ કોર્પોરેટરોએ વધાવ્યો હતો. સત્તાધારી પક્ષ અને વિપક્ષ તમામ કોર્પોરેટરોએ આ નિર્ણયને વધાવ્યો હતો. અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. વિપક્ષે પણ જણાવ્યું હતું કે આ શહેરના હિતમાં નિર્ણય છે ઉપરાંત વેપારીઓની પણ ચિંતા કરી તેઓને પણ વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો નિર્ણય કરાયો છે જે આવકારદાયક છે. શહેરનો સર્વોત્તમ વિકાસ થાય તે જ સહુનો હેતુ છે. 

Most Popular

To Top