Dahod

સંજેલી ખાતે ડાયાલિસિસના દર્દીઓને સરકાર તરફથી મળતી નાણાકીય સહાય મળશે ક્યારે ?


દર્દીઓ જોઈ રહ્યા છે સહાયની રાહ

દાહોદ: સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 13 જેટલા દર્દીઓ ડાયાલિસિસની સારવાર કરાવવા માટે આવે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ ની સારવાર તો સ્ટાફ દ્વારા કરવામાં આવે છે પરંતુ સ્થાનિક સત્તાધીશો સહાય અપાવવા માટે ક આનાકાની કરતા હોવાનો દર્દીઓનો આક્ષેપ છે.

ડાયાલિસિઝના દર્દીઓના જણાવ્યા અનુસાર તેમને એક ડાયાલિસિસ પ્રમાણે ₹300 ની સહાય મળતી હોય છે. જે ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા છતાં પણ દર્દીઓને સહાયના નામે કશું પણ કેમ મળી નથી રહ્યું તેવો પ્રશ્નાર્થ તેમણે કર્યો છે.

ડાયાલિસિસના દર્દીઓને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવવા માટેનો ખર્ચ, ચા નાસ્તા માટેનો ખર્ચ સહિતના નાણા સરકાર તરફથી પ્રત્યેક ડાયાલિસિસના દર્દી માટે આપવામાં આવતા હોય છે. જે સંજેલીના ડાયાલિસિઝના દર્દીઓને કેમ આ પ્રકારની સહાય નથી મળી રહી, તેમજ તેમના માટે કયા કારણોસર આવી કોઈ મદદ નથી થઈ રહી તેવા પ્રશ્નાર્થ કરી રહ્યા છે.
ડાયાલિસિસમાં એક દર્દી દ્વારા જણાવ્યા મુજબ તો ડાયાલિસિસના દર્દીએ પોતાની સમસ્યા બાબતે દવાખાનાના જવાબદાર અધિકારી તરીકે ડોક્ટર સિંઘને આવી સમસ્યાની રજૂઆત કરતા ડોક્ટર સિંઘ દ્વારા તેમને ધમકાવવામાં આવ્યા હતા. તેમની ડાયાલિસિસ પણ બંધ કરી દેવાની ધમકી આપતા હોવાનો દર્દી દ્વારા આક્ષેપ કરાયો છે.

ડાયાલિસિનના દર્દીઓ દ્વારા વહેલી તકે આ સમસ્યાનો નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. લાખોના ખર્ચે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે તેમાં કેટલીય પ્રકારની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે તે વહેલી તકે સમસ્યાઓ દૂર કરવામાં આવે તેમજ દર્દીઓને મળતી સારવારો પૂરી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે .

Most Popular

To Top