Sports

IND vs ENG: ભારતનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ વર્લ્ડ કપમાં તેની સતત બીજી મેચમાંથી પણ બહાર

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. સ્થિતિ એવી હતી કે તેને તરત જ મેદાન છોડવું પડ્યું હતું. આ પછી તે ન્યુઝીલેન્ડ (Newzealand) સામેની મેચમાં પણ જોવા મળ્યો ન હતો. હવે આગામી વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાની વાપસીને લઈને નવીનતમ અપડેટ આવી છે. ભારતનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ વર્લ્ડ કપમાં તેની સતત બીજી મેચ ઈંગ્લેન્ડ (England) સામેની રવિવારની મેચમાંથી પણ બહાર છે.

ટીમ ઈન્ડિયાની આગામી 29મી ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યા મેદાનમાં ઉતરી શકશે નહીં. આ અપડેટ બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને સામે આવ્યું છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ઈજામાંથી સાજો થઈ ગયો છે, પરંતુ BCCI આ ખેલાડીના મામલે કોઈ ઉતાવળ કરવા માંગતું નથી. જ્યારે હાર્દિકની ઓલરાઉન્ડ કુશળતાને રિપ્લેસ માટે, ભારતે સૂર્યકુમાર યાદવને ન્યુઝીલેન્ડ સામે રમાડ્યો અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શમીને સામેલ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેની તમામ પાંચ મેચ જીતી છે. આ સમયગાળા દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી મોટી ટીમોને પણ એકતરફી રીતે હરાવી છે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને સેમીફાઈનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા હવે આગામી મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેની ચારમાંથી ત્રણ મેચ હારી ચૂક્યું છે. ટીમ ઈન્ડિયાની સ્થિતિ ઈંગ્લેન્ડ સામે ઘણી મજબૂત દેખાઈ રહી છે. આ જ કારણ છે કે ભારતીય ટીમ આ મેચમાં કોઈ બિનજરૂરી જોખમ લેવા માંગશે નહીં.

Most Popular

To Top