Entertainment

#BoycottLaalSinghChaddha : સોશિયલ મીડિયા પર આમીર ખાનની ફિલ્મ સામે આક્રોશ

મુંબઈ: મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખ ઉભી કરનાર બોલિવુડ સ્ટાર આમિર ખાન (Aamir Khan) 4 વર્ષ બાદ ફિલ્મ (Film) લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) સાથે સિલ્વર સ્ક્રીન પર કમબેક (Comeback) કરી રહ્યો છે. આમિર ખાનના ફેન્સ આતુરતાથી તેની ફિલ્મોની રાહ જોતા હોય છે. અને આમીરની ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી પણ કરે છે. ત્યારે હવે 4 વર્ષનો બ્રેક લીધા બાદ આમિર ખાન તેની આગમી ફિલ્મ લાલ સિંહ ચઠ્ઠા સાથે કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં લીડ હિરોઈન કરીના કપૂર ખાન (Kareena kapoor Khan) છે. પરંતુ લાગી રહ્યું છે આ વખતે આમિરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઠ્ઠા બોક્સ ઓફિસ પર વધારે ધૂમ મચાવશે નહિં, કારણ કે સોશયલ મિડિયા પર બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા (#BoycottLaalSinghChaddha) ટ્રેન્ડ કરી રહ્યું છે.

કેટલાક લોકોને લાગે છે મને ભારત ગમતું નથી: આમીર ખાન
પોતાની ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા આમિર ખાને મીડિયા સાથે વાતચીત કરી અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ આપ્યા. આ દરમિયાન મીડિયાએ આમિર ખાનને સોશિયલ મીડિયા પર ‘બૉયકોટ લાલ સિંહ ચઢ્ઢા’ના ટ્રેન્ડ વિશે સવાલ કર્યો ત્યારે અભિનેતાએ કહ્યું, “જ્યારે લોકો બોલિવૂડ અને લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરવાની વાત કરે છે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે. ખાસ કરીને જ્યારે લોકો મારી ફિલ્મોનો બહિષ્કાર કરવાની માંગ કરે છે કારણ કે તેઓને એવું લાગે છે કે હું એવા લોકોની યાદીમાં સામેલ છું જેઓ ભારતને પસંદ નથી કરતા. પણ તે સાચું નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોને આ વાત સાચી લાગે છે. પરંતુ એવું નથી. કૃપા કરીને મારી ફિલ્મનો બહિષ્કાર કરશો નહીં. કૃપા કરીને મારી ફિલ્મ જુઓ.”

લાલ સિંહ ચડ્ઢાને ન જોવાની અપીલ
11 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી લાલ સિંહ ચઢ્ઢાને લઈને સોશિયલ મીડિયા પર નેગેટિવ વાતાવરણ બની રહ્યું છે, જેનાથી આમિર ખાનના ચાહકોનું દિલ તૂટી શકે છે. #BoycottLaalSinghChaddha ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ ન જોવાનો ટ્રેન્ડ સોશિય મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મ રીલિઝ પહેલા આમિર ખાનની ફિલ્મને લઈને લોકો ગુસ્સે ભરાયા છે. ચાલો આનું કારણ પણ જણાવીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ આખો મામલો આમિર અને કરીના કપૂરના એક જૂના નિવેદનને લઈને થઈ રહ્યો છે. જેમાં કરીના કપૂર ખાને કહ્યું હતું કે અમારી ફિલ્મ ન જુઓ, જ્યારે આમીર ખાનનું નિવેદન કરીના કપૂર કરતા અલગ હતું.

શા માટે યુઝર્સ આમીરની ફિલ્મને બાયકોટ કરવાનું કહી રહ્યા છે
સોશયિલ મીડિયામાં એક યુઝરે લખ્યું હતું કે-… કારણ કે તમારી પત્નીએ કહ્યું કે ભારતમાં રહેવું સુરક્ષિત નથી. તો તમે તમારી મૂવી અહીં શા માટે રિલીઝ કરી રહ્યાં છો? અન્ય એક વ્યક્તિ લખે છે હું દરેકને અપીલ કરું છું કે તેઓ તેમની મહેનતની કમાણી લાલ સિંહ ચઢ્ઢા પર ખર્ચ ન કરે. આ નેપો બાળકો, ડ્રગ્સ લેનારા, માફિયાઓનો બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે. હું કહીશ કે તમારા પૈસા જરૂરિયાતમંદ લોકો પર ખર્ચ કરો. વર્ષો પહેલા આમિરે કહ્યું હતું કે શિવલિંગ પર દૂધ ચઢાવવું નકામું છે. તે જ સમયે, કરીનાએ કહ્યું હતું કે- અમારી ફિલ્મો ન જુઓ, કોઈ બળજબરી નથી કરી રહ્યું. બંને સેલેબ્સના આ જૂના નિવેદનોનો ઉલ્લેખ કરીને લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. યુઝર્સે આમિર પર હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

આમિર ખાનની ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ગુસ્સો જોવા મળી રહ્યો છે. યુઝર્સનો આટલો ગુસ્સો જોયા બાદ લાગી રહ્યું છે કે ફિલ્મ રીલીઝ પહેલા જ ફેંકાઈ જશે. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના ડાયરેક્ટર અદ્વૈત ચંદન છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ટોમ હેન્ક્સની ફિલ્મની હિન્દી રિમેક છે, તેથી લોકો તેને જોવામાં વધુ રસ નથી બતાવી રહ્યા. બોક્સ ઓફિસ પર લાલ સિંહ ચઢ્ઢાની સાથે અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પણ રિલીઝ થઈ રહી છે. તેથી કહી શકાય કે આમીર અને અક્ષયની ફિલ્મ વચ્ચે જોરદાર ક્લેશ થશે.

‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવૂડ ફિલ્મની રિમેક છે
લાલ સિંહ ચઢ્ઢા વિશે વાત કરીએ તો, તે ટોમ હેન્ક્સ અભિનીત હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની સત્તાવાર હિન્દી રિમેક છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને મોના સિંહ પણ છે. સાઉથ એક્ટર નાગા ચૈતન્યનું આ બોલિવૂડ ડેબ્યુ છે. લાલ સિંહ ચડ્ઢા અગાઉ બૈસાખી રિલીઝ માટે નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ 11 ઓગસ્ટ, 2022 પર મુલતવી રાખી હતી.

Most Popular

To Top