National

પરિવારની મરજીથી થયા એક કિન્નરના લગ્ન

pratapgadh : ઉત્તર પ્રદેશ ( uttar pradesh) ના પ્રતાપગઢના એક યુવકે એક કિન્નર સાથે લગ્ન કરીને સમાજ માટે દાખલો બેસાડ્યો છે. પ્રતાપગઢના રહેવાસી શિવકુમાર વર્મા ( shivkumar varma) એ સમાજના અવરોધોને પાર કરીને વૈદિક મંત્રો સાથે અયોધ્યાના નંદિગ્રામમાં ભગવાન શ્રી રામના નાના ભાઈ ભરતની તપોસ્થીલી ભરતકુંડના એક પ્રાચીન મંદિરમાં કિન્નર અંજલિ સિંહ (anjli sinh) સાથે સાત ફેરા કર્યા હતા. પ્રતાપગઢના આ લગ્ન કિન્નર અંજલી સિંહની બહેન અને જીજા દ્વારા કરાયા હતા.

આ વૈવાહિક પ્રસંગની વિશેષ વાત એ છે કે તેમાં એક ડઝન જાનૈયાઓએ પણ ભાગ લીધો હતો અને લગ્નની બધી વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. અને મહેમાનોએ ખુશી ખુશી નવા યુગલને સુખી જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. પરિવાર અને ગામના લોકોએ પણ એક યુવક અને એક કિન્નર વચ્ચે લવ સ્ટોરીના આ સુખદ વળાંક સુધી પહોંચવા માટે ખુશી વ્યક્ત કરી છે અને લોકો પણ યુવકના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

કિન્નર અંજલિ સિંહે નંદીગ્રામ ભરતકુંડમાં સ્થાપિત પ્રાચીન મંદિરમાં ધામધુમથી સાથે લગ્ન કર્યા હતા. પ્રતાપગઢના ઘરૌલી માજરે શુકુલપુરમાં રહેતા શિવકુમાર વર્માએ વૈદિક મંત્રો વચ્ચે અગ્નિની સાક્ષી માની અજલિ સિંહ સાથે સાત ફેરા પૂર્ણ કર્યા હતા. પંડિત અરૂણ તિવારી દ્વારા લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. શિવકુમારે જણાવ્યું કે તે છેલ્લાં દોઢ વર્ષથી અંજલિ સાથે પ્રેમમાં હતો. તેને લાગ્યું કે હવે તે અંજલિ વિના જીવી શકતો નથી, તેથી તેણે અંજલિ સાથે લગ્ન કર્યા છે.

શિવ કુમારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આપણે નિરાધાર બાળકને દત્તક લઈ અમારા પરિવારમાં વધારો કરીશું. તે આ લગ્નથી ખૂબ જ ખુશ છે. દુલ્હન બની ગયેલી કિન્નર અંજલિસિંહે કહ્યું કે દુનિયા આપણા નપુંસક સમાજને સારી નજરે જોતી નથી. અત્યારે અમારા બંનેના આ નિર્ણયને સ્વીકારવામાં બંને પરિવારોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા નિર્ણયથી અમારા પરિવારના સભ્યો ખુશ છે. ધીમે ધીમે બધું સામાન્ય થઈ જશે. આશીર્વાદ આપનારાઓમાં મુખ્યત્વે ભાજપના નેતા ચૌરેબજાર મંડળના પ્રમુખ નંદકિશોરસિંહ, શ્યામજી ચૌરસીયા, મોનુ સોની, ભવાની પાંડે, દિપકકુમાર, રામ કુમાર પાંડે અને અન્ય હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top