Dakshin Gujarat

વાપીમાં વોલીબોલની નેટ તોડી નાંખતા ત્રણ શખ્સોએ કાપડના વેપારી સાથે કરી આ હરકત

વાપી : વાપી (Vapi) ખોજા સોસાયટીમાં વોલીબોલની (Vollyball) નેટ ફાડી નાખવાના મામલે ત્રણ શખ્સોએ ખોજા સોસાયટીના (Society) કાપડનો ધંધો કરતા બે ભાઇઓને (Brother) માર માર્યો હતો. વાપી પોલીસે (Polcie) ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાપી ખોજા સોસાયટીમાં વોલીબોલ રમવા માટે સલીમ વિરાણી તથા સોહીલ ગયો હતા. વોલીબોલની રમત પુરી થયા બાદ સોહીલે વોલીબોલની નેટ ફાડી નાખી હતી. ત્યારબાદ સોહીલ અને સલીમ વિરાણી ચાલતા ઘરે જતા હતા ત્યારે ખોજા સોસાયટી વોચમેન કેબીન પાસે ત્રણ જણા ઊભા હતા. ખોજા સોસાયટીમાં રહેતો અક્ષય મીઠાણી તથા આયુષ હોસ્પિટલ પાસે પરહીન એપાર્ટમેન્ટમાં રહેતા અમન કમલેશ ઉર્ફે કમો ગીલાણી તથા કમલેશ ઉર્ફે કમો ગીલાણીએ સોહીલ તથા સલીમ વિરાણીને પકડીને તમે વોલીબોલની નેટ કેમ ફાડી નાખી તેવું કહીને ત્રણે જણાએ ઢીકમુક્કીનો માર માર્યો હતો.

આ સમયે ગાળાગાળી અને બુમાબુમ થતાં બીજા માણસો આવી જતાં સલિમ તેના ઘરે જતો રહ્યો હતો. આ વાતની સલીમના મોટાભાઇ ખોજા સોસાયટીમાં રહેતા મલીક મુરાદ વિરાણીને ખબર પડતા એ તેના ઘરે ગયો હતો. આખી વાત જાણ્યા બાદ મલીક વિરાણી એક્ટીવા પર પરત તેના ઘરે આવતા હતા. ત્યારે રસ્તામાં ત્રણે જણ અક્ષય, અમન અને કમલેશ ઊભા હતા. એક્ટીવા ઊભી રાખી ત્યારે તેમણે કહ્યું કે તું તારા ભાઇનું ઉપરાણું લઇને અમને માર મારવા આવ્યો છે. તેવું કહીને ત્રણે જણા ઉશ્કેરાઈ જઈને લાકડા લઇને ફટકા મારવા લાગ્યા હતા. કમલેશ ઉર્ફે કમાએ મલીક વિરાણીને કપાળના ભાગે ફટકો મારતા લોહી નીકળવા લાગ્યું હતું. સોસાયટીના માણસો આવી જતા વધુ મારમાંથી મલીક બચી ગયો હતો. જતા જતા ત્રણે જણા કહી ગયા હતા કે આજે તુ બચી ગયો છે. પરંતુ ફરી મળશે તો તને જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી હતી. મલીક વિરાણીને સોસાયટીના લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. વાપી ટાઉન પોલીસે મલીક વિરાણીની ફરિયાદને આધારે અક્ષય મીઠાણી, અમન ગીલાણી તથા કમલેશ ગીલાણી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીલીમોરા ડેપો મેનેજરે કંડકટરને ટીકીટ બાબતે થયેલી બોલાચાલી બાદ લાફો ઝીંકી દીધો!
બીલીમોરા : બીલીમોરા એસ.ટી ડેપોમાં શિરડીથી સુરત જતી બસ તેના રૂટ પ્રમાણે બીલીમોરા ડેપોમાં આવી હતી. બસ આવતા ડેપોમાં હાજર ડેપોના ટીકીટ ચેકીંગ અધિકારી દ્વારા ટીકીટ ચેકિંગ હાથ ધરતા શામગહાનથી સુરત જવા માટે બેસેલા મુસાફર પાસે ટિકિટ મળી આવી ન હતી. જોકે તેમણે ટિકિટ લીધેલી હોવાનું કહ્યું હતું. પરંતુ ચેકિંગ દરમિયાન ટિકિટ નહીં મળતા ફરજ પરના અધિકારીએ આ બાબતે કાયદેસરની કાર્યવાહી અને દંડની પ્રક્રિયા હાથ ધરી હતી. પણ કંડકટરની સ્ક્રિપ્ટમાં શામગહાનથી સુરત માટે રૂપિયા 248ની બે ટિકિટ અપાઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કંડક્ટર દ્વારા એક ફોર્મ ખેંચી લેવાતા વાત વણસી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ડેપો મેનેજર દ્વારા કંડકટર સાથે ઉગ્ર બોલાચાલી થતાં ડેપો મેનેજર એમ.કે.રાઠોડે એકદમ ઉશ્કેરાઇ જઈ કંડકટરને લાફો મારી દીધો હોવાનું ચર્ચાયુ હતું. જોકે બાદમાં કન્ડક્ટરે ફોર્મ ભરી જરૂરી કાર્યવાહી બાદ ગાડી આગળ ચાલી હતી. આ બાબતે હજુ સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ થઈ નહીં હોવાનું જણાયું છે.

Most Popular

To Top