Dakshin Gujarat

વલસાડની કોર્ટના ઐતિહાસિક ચુકાદાએ નાનકડી દીકરીની જીંદગી સ્વર્ગ બનાવી દીધી

વલસાડ : વલસાડની (Valsad) કોર્ટમાં એક ઐતિહાસિક ચુકાદાએ નાનકડી દીકરીની જીંદગી બનાવી દીધી છે. આ બનાવમાં માતા-પિતાની (Father-Mother) છત્રછાયા ગુમાવનાર દીકરીના પક્ષમાં કેસ લડનાર વલસાડના એડવોકેટ ભરત દેસાઇની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટના જજ પ્રકાશકુમાર એ. પટેલએ આપેલા ચુકાદાથી 12 વર્ષની નાનકડી દીકરીની જીંદગી સ્વર્ગ સમાન બની ગઈ છે.

  • પિતાનુ કાર અકસ્માતમાં મોત થયું હતું
  • હિતેશ ટંડેલની પત્નીએ પુત્રી શ્રેયાને જન્મ આપ્યા બાદ કોરોનાકાળ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું
  • બાળકીને 4.30 કરોડનું વળતર આપવા વલસાડ કોર્ટનો હુકમ
  • કોર્ટના જજ પ્રકાશકુમાર એ. પટેલએ આપેલા ચુકાદાથી 12 વર્ષની નાનકડી દીકરીની જીંદગી સ્વર્ગ સમાન બની ગઈ

આ સમગ્ર મામલે મળતી વિગતો મુજબ, વલસાડના કોસંબા ગામે રહેતા અને શીપમાં ફરજ બજાવતા 32 વર્ષીય હિતેશ મનુ ટંડેલ ગત તા.18-03-2010 ના રોજ મુંબઈથી વલસાડ તરફ કારમાં આવી રહ્યા હતા. તે દરમિયાન અમદાવાદ-મુંબઈ હાઇવે પર પોલીસ સ્ટેશન નજીક ટ્રક અને અન્ય એક કાર સાથે અકસ્માતમાં હિતેશ ટંડેલનું મોત નિપજ્યુ હતું. જેમાં ટ્રક ચાલક અને વીમા કંપની શ્રીરામ જનરલ વિરૂદ્ધ મહારાષ્ટ્રની દાહણુ કોર્ટમાં કેસ થયો હતો. જેમાં અકસ્માતમાં મરનાર હિતેશની વિધવા રત્નાબેન ટંડેલ અને તેના ગર્ભમાં રહેલી શ્રેયા હિતેશ ટંડેલને વલસાડ જિલ્લાની મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટીબ્યુનલમાં વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ભરત ડી. દેસાઈ તથા તેના પુત્ર મનહરસિંહ ભરત દેસાઈ મારફતે રૂ.3 કરોડની નુકશાની વળતર મેળવવા માટે અરજી કરી હતી.

આ દરમિયાન હિતેશ ટંડેલની પત્નીએ પુત્રી શ્રેયાને જન્મ આપ્યા બાદ કોરોનાકાળ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જેમાં એડવોકેટ ભરત દેસાઈએ હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના બિડાણ કરી દલીલો કરતા વલસાડ કોર્ટના જજ પ્રકાશકુમાર એ. પટેલએ ઐતહાસિક ચુકાદો આપતાં 12 વર્ષની બાળકી શ્રેયાને રૂ.4 કરોડ અને 30 લાખનું વળતર આપવા હુકમ કર્યો હતો.

Most Popular

To Top