National

પરિવારે જેના અંતિમ સંસ્કાર કરી દીધા, માથા પણ મુંડાવી દીધા, એ શખ્સ ઘરે પરત ફરતા ઉહાપોહ

રાજસ્થાન: રાજસ્થાનના રાજસમંદથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ 10 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો અને તેના પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર પણ કર્યા હતા, તે અચાનક ઘરે પરત આવ્યો હતો. મૃતક વ્યક્તિને જીવિત જોઇને પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. ભાઈ અને બાળકોએ તો માથું પણ મૂંડાવ્યું હતું અને 9 દિવસથી ઘરે દુ:ખની લાગણી હતી. 

આવી સ્થિતિમાં, દરેકના મનમાં પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે જે વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે આખરે જીવંત કેવી રીતે બહાર આવ્યો અને અંતિમ સંસ્કાર થનારી વ્યક્તિ કોણ હતી? ન તો ડેડબોડીનું પોસ્ટ મોર્ટમ કરાયું ન વિસેરા રિપોર્ટ લેવામાં આવ્યો. કાંકરોલી પોલીસ અને આર.કે. હોસ્પિટલના વહીવટીતંત્રની એવી બેદરકારી સામે આવી છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે.

મળતી માહિતી મુજબ, 11 મેના રોજ મોહી રોડ પર અજાણ્યા શખ્સની લાશ મળી હતી, તેને 108 એમ્બ્યુલન્સથી આર.કે. હોસ્પિટલ ત્યારબાદ જિલ્લા હોસ્પિટલના વહીવટીતંત્રે કાંકરોલી પોલીસને પત્ર પાઠવી લાશની ઓળખ કરવા જણાવ્યું હતું. પોલીસે ઓળખવાનો પ્રયાસ કર્યો પણ કંઇ જાણી શકાયું નહીં. પરંતુ 15 મેના રોજ હેડ કોન્સ્ટેબલ મોહનલાલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટાના આધારે પોલીસે કાંકરોલી રહેવાસી ઓમકારલાલ ગાડોલીયા લોહારના ભાઈ નાનાલાલ અને પરિવારના સભ્યોને બોલાવ્યા. નાનાલાલે પોલીસને જણાવ્યું કે તેના ભાઈ ઓમકારલાલના જમણા હાથમાં કાંડાથી કોણી સુધીનો લાંબો ઘા છે અને ડાબા હાથની બે આંગળીઓ વાળેલી છે. આમાં, હોસ્પિટલ વહીવટી તંત્ર અને પોલીસે મૃતદેહ ત્રણ દિવસ જુનો હોવાનું અને ડી ફ્રિજ હોવાનું ટાંકીને હાથના નિશાન ભૂંસાય ગયા હોવાનું જણાવી પરિવારને આપ્યો હતો. 

આ પછી પોલીસ અને હોસ્પિટલના વહીવટીતંત્રે પોસ્ટમોર્ટમ કર્યા વિના પંચનામા બનાવી મૃતદેહ પરિવારને આપ્યો હતો. પરિવારે તેને ઓમકારલાલ ગાડોલીયા લુહાર માન્યો અને અંતિમ સંસ્કાર પણ કર્યા. છેલ્લા 10 દિવસથી પરિવારમાં દુ: ખની લાગણી હતી, પરંતુ ઓમકારલાલ રવિવારે સાંજે ઘરે પરત ફરતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ઓમકારલાલે જણાવ્યું કે તે 11 મેના રોજ તેમના પરિવારના સભ્યોને જાણ કર્યા વિના ઉદયપુર ગયો હતો. તબિયત લથડતા તેને ઉદયપુર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ચાર દિવસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. રવિવારે તે ઘરે પરત ફર્યો ત્યારે તેણે જોયું કે તેના ફોટા ઉપર હાર લગાવ્યો હતો અને ભાઈઓ અને બાળકોએ માથું મુંડાવ્યું હતું.

આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે અંતિમ સંસ્કાર કરવામાં આવેલી વ્યક્તિ કોણ હતી. કારણ કે ન તો શબપરીક્ષણ કરવામાં આવ્યું ન વિસેરા રિપોર્ટ લેવામાં આવ્યો. આવી સ્થિતિમાં પોલીસને કેવી રીતે ખબર પડે કે વ્યક્તિનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું? હોસ્પિટલને અને પોલીસ તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સાથે જ કાંકરોલી પોલીસ અને આર.કે. હોસ્પિટલના વહીવટીતંત્રની ગંભીર બેદરકારી પણ પ્રકાશમાં આવી છે.

Most Popular

To Top