Charchapatra

ખાલિસ્તાનનું ભૂત

જી-૨૦ પછી એક નવો જ વળાંક ટુડો જી આપી ગયા. ભારત સાથેની ગદ્દારી વિશ્વમાં ભારતનું માન વધ્યુ અને સમુ સૂતરું પાર પડી ગયું. પણ કેનેડાના મિનિસ્ટરે નિઝરના હત્યાકેસમાં ભારતને બદનામ કર્યું. ખાલિસ્તાનની ખાલસા પદ્ધતિ એ તો પાકિસાનની જ ચાલ છે.લગભગ સાડા પાંચસો-છસો વર્ષ પહેલાં ગુરૂ નાનકજીએ નવો સંપ્રદાય સ્થાપેલો એ પણ પણ લાહોર પંજાબમાં . મુસ્લિમોના ત્રાસથી બચવા માટે નાનકજીએ એક નવો ધર્મ સ્થાપ્યો, જેમાં બધાં ને જ આવકાર આપવામાં આવે છે. તે શીખ ધર્મ તરીકે અસ્તિત્વમાં આવ્યો.

ઊંચનીચના ભેદ ભાવ વગર માનવતાનો ધર્મ જ હતો. હિન્દુ ધર્મ એનું કેન્દ્ર બિન્દુ હતું. ગુરૂ દેવ તો સદા બોલતા કે રામકી ચિડિયા રામકા ખેત ખાલો ચિડિયા ભરભર પેટ, દસમાં ગુરૂ ગોવિંદસિંઘ નું પ્રખ્યાત ગીત રધુપતિ રાઘવ રાજારામ . ગાંધીજીને પણ પ્રિય હતું. આમ રામના જ બંદા એટલે શીખ, આજે એવા તો થોડાંક શીખો ખાલિસ્તાન માગે છે. જે બિલકુલ યોગ્ય નથી. લાહોરમાં પંજાબ પ્રાંત છે. ગુરૂદેવની ભૂમિ છે. જે આજે પાકિસ્તાનમાં છે.તે માંગો. ખાલિસ્તાન ત્યાં બનાવો. ભારતનું પંજાબ શા માટે ? કેનેડા મોટો વિસ્તાર છે. ક્યૂબેક નામનું રાજ્ય છે. ત્યાં જ ખાલિસ્તાન બનાવી દોને મારા ભાઈ, ભારતની સહિષ્ણુતાનો લાભ ન લો. ભારતને આ ખાલિસ્તાનવાદીઓએ ઘણું જ નુકશાન પહોંચાડ્યું છે.

કનિષ્કનું ટોરન્ટોમાં હરણ કરી ઉડાવી દીધું. ૩૨૯ નિર્દોષોને દરિયામાં ડુબાવી દીધા. ભારતના પ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધી ને ગોળીએ રક્ષકોએ જ (શીખ) ઉડાવી દીધેલા કેમ ભૂલાય! હવે સમય આવી ગયો છે. શીખ ઉગ્રવાદીઓને ડામવાનો. ભારતના તો શીખ સૈનિકો પહેરેદાર છે. ભારતની શાનબાન ભારતના શીખો છે. હાલમાં જ પરમજીત શહિદ થયા. અનંતનાગમાં આખો દેશ ગમગીનીમાં ડૂબી ગયેલો. શીખો એટલે જ ભારત એવું કોઈ પંજાબનું ઘર ન હશે કે સરહદ પર ન હોય. શત શત પ્રણામ મારા શીખ પહેરેદારોને . સૈનિકોને પંજાબના જ રણજિતસિંગ ભગત સિંહ ખાલિસ્તાન તરફી શીખો તમે મા ભોમને વફાદાર રહી. તમારી આતંકી પ્રવૃતિઓ છોડો. ભારત જ તમારો દેશ છે. પાકિસ્તાનને ભૂલી જાવ, એ તો દુશ્મન પડોશી છે. એ નહિ ભૂલો, મારા ભાઈ.
સુરત     – જ્યા રાણા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

અમદાવાદના મોટાભાગના સ્પા સેન્ટરોમાં ચાલતા ગોરખધંધા!
રાજ્યના અનેક શહેરોમાં સ્પા સેન્ટર નો રાફડો એટલી હદે ફાટી નીકળ્યો છે કે દરેક ત્રણ ચાર બિલ્ડીંગ છોડીને સ્પા, સેન્ટર આસાનીથી મળી જાય છે,, મસાજ અને રિલેક્સ કરી આપવાના નામ પર અમુક સ્પા, સેન્ટરોમાં શું ધંધા ચાલી રહ્યા છે,, તે લોકોને પોલીસ તંત્રની પણ જાણ બહાર હોય એવું લાગતું નથી,, અમુક સ્પા સેન્ટરોમાં દારૂ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટી પણ અવારનવાર થતી હોય છે,, અને દેહ વેપાર નો ગોરખ ધંધો પણ ખાનગીમાં ચાલતો હોય તેવા સમાચાર અવારનવાર જાણવા મળે છે. થોડા દિવસ પહેલા અમદાવાદના સિંધુભવન રોડ પર ના એક સ્પા માલિકે એક યુવતીને જાહેરમાં ઢોર માર માર્યો હતો,, તેનો સોશિયલ મીડિયા પર વિડિયો પણ ખૂબ વાયરસ થયો હતો,,

આ વિડીયો વાયરસ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું,, અને પેલા સ્પા માલિકની ધરપકડ કરી હતી,, પછી તેનું શું થયું તે ભગવાન જાણે , આ બનાવના બે દિવસ અગાઉ જ એસજી હાઇવે પર આવેલી એક હોટલમાં પોલીસે દરોડો પાડયો હતો, અને ત્યાં દેહ વ્યાપાર નો પડદાફાશ કર્યો હતો,, જો કે આનો દલાલ નાસી છૂટ્યો હતો,, પણ હોટલના મેનેજરની પોલીસે ધરપકડ કરી હતી,, હવે પોલીસ ખાતાએ સ્પા સેન્ટરો અને હોટલોની નિયમિત તપાસ કરીને આવા ગેરકાયદેસર કામો અને ગોરખધંધા પર લાલ આંખ કરવી જરૂરી છે,, સમાજના ભદ્ર લોકો માટે આવા દુષણો શરમજનક બાબત છે.
અમદાવાદ       – કિશોર, ડી, સેદાણી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top