Entertainment

4 માસમાં બાળકોને જન્મ આપીને નયનતારા કાયદાની ગૂંચમાં ફસાઈ

મુંબઈ: સાઉથની સુપરસ્ટાર નયનતારા (Nayanthara) અને તેના પતિ વિગ્નેશ શિવનના (viganesh Shivan) ઘરે જોડિયા બાળકો (Twins baby) થયા છે. રવિવાર, 9 ઓક્ટોબરના રોજ વિગ્નેશ અને નયનતારાએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરીને તેમના માતાપિતા બનવાના સમાચાર શેર કર્યા. આ સરપ્રાઈઝ બાદ બંનેના ફેન્સ ખુશ થઈ ગયા હતા અને તેમને અભિનંદન આપી રહ્યા હતા. આ દરમિયાન ટ્વિટર પર સરોગસી (surrogacy) અને દત્તક લેવા અંગે ચર્ચા શરૂ થઈ હતી. ઘણા યુઝર્સે કહ્યું કે નયનતારાએ સરોગસીનો માર્ગ અપનાવીને યોગ્ય કર્યું નથી. હવે આ મામલમાં સરકાર પણ વચ્ચે પડી છે.

સરકાર આ મામલે તપાસ કરશે
તમને જણાવી દઈએ કે માત્ર 4 મહિનામાં જ સરોગસી પદ્ધિતીથી બે ટીવ્નસ બાળકોને જન્મ આપ્યો હતો. હવે નયનતારાના જોડિયા બાળકો અંગે સરકાર પણ શંકા કરી રહી છે. નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવન પર સવાલો ઉઠી રહ્યા છે કે શું તેઓએ સરોગસી પ્રક્રિયાના સાચા નિયમોનું પાલન કર્યું હતું. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સુબ્રમણ્યમે કહ્યું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ કેસમાં સરોગસીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.

ભારતમાં કોઈ પણ યુગલ લગ્નના પાંચ વર્ષ પછી જ સરોગસીનો માર્ગ અપનાવે તેવો નિયમ છે કે કેમ તે જોવું રહ્યું. અત્યારે તમિલનાડુ સરકારનું કહેવું છે કે તે તપાસ કરી રહી છે કે શું નયનતારા કે વિગ્નેશ સરોગસી દ્વારા બાળકો કરવાના નિયમોનું પાલન કર્યું છે કે તેનું ઉલ્લંઘન કર્યું છે. આવતીકાલે આરોગ્ય મંત્રી આ મામલે પૂછપરછ કરશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સરોગસી એક્ટ 2021 મુજબ, ફક્ત કાયદેસર રીતે પરિણીત કપલ ​​જ સરોગસીની મદદ લઈ શકે છે. નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્ન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ લગભગ 4 મહિના પહેલા 9 જૂનના રોજ લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં, તે જોવાનું રહેશે કે બંનેએ તેમના લગ્નની રજિસ્ટ્રી સમયસર કરાવી છે કે નહીં.

વિજ્ઞેશે બાળકોના આગમનની જાહેરાત કરી હતી
રવિવારે વિગ્નેશ શિવને નયનતારા અને તેના માતા-પિતાને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી. તેણે જણાવ્યું કે તેને જોડિયા પુત્રો છે. નયનતારા અને વિગ્નેશ શિવન બંને પુત્રોના નાના પગને ચુંબન કરતા ખૂબ જ ખુશ દેખાતા હતા. ફોટો શેર કરતા વિગ્નેશ શિવને લખ્યું, ‘નયન અને હું આજે અમ્મા અને અપ્પા બની ગયા છીએ. અમને જોડિયા પુત્રો છે. અમારી બધી પ્રાર્થના, અમારા પૂર્વજોના આશીર્વાદથી અમને અમારા બંને બાળકોના રૂપમાં મળ્યું છે. અમને તમારી બધી પ્રાર્થનાની જરૂર છે. ઉર અને ઉલગામ.

‘જૂન 2022ના રોજ લગ્ન કર્યા હતા
નયનતારા અને વિગ્નેશ શિવને 9 જૂન 2022ના રોજ ચેન્નાઈમાં લગ્ન કર્યા હતા. આ અભિનેતા-દિગ્દર્શકની જોડીને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો. બંનેના લગ્નના ઘણા ફોટા પણ વાયરલ થયા હતા. આ લગ્નમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, વિજય સેતુપતિ, એઆર રહેમાન અને ડિરેક્ટર એટલાની સાથે ઘણા મોટા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.

Most Popular

To Top