World

જોરદાર વિસ્ફોટોથી હચમચી સીરિયાની રાજધાની, ઇઝરાયેલ પર શંકા

નવી દિલ્હી: સીરિયાની (Syria) રાજધાની દમાસ્કસ (Damascus) રવિવારે સવારે જોરદાર વિસ્ફોટોથી (Blast) હચમચી ગયું હતું. સરકારી મીડિયા અને સ્થાનિક રહેવાસીઓએ આપેલી માહિતી અનુસાર આસપાસના વિસ્તારોમાં એક નહીં પરંતુ અનેક વિસ્ફોટના અવાજો સંભળાયા છે. હજુ સુધી કોઈ સરકારી અધિકારીએ આ હુમલા અંગે કોઈ માહિતી આપી નથી. આ હુમલા પછી ઈઝરાયેલ પર શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

  • ઈઝરાયેલે તાજેતરના વર્ષોમાં સીરિયામાં સરકાર હસ્તકના સ્થાનોને નિશાન બનાવીને સેંકડો હુમલા કર્યા છે
  • ઈઝરાયેલે ક્યારેય આ હુમલાનો સ્વીકાર કર્યો નથી

ઇઝરાયેલ પર શંકા
દમાસ્કસ પર થયેલા આ હુમલાની આશંકા ઈઝરાયલ પર ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર ઈઝરાયેલ સીરિયામાં અગાઉ પણ અનેક હવાઈ હુમલાઓ કરી ચૂક્યું છે. આ પહેલા 7 ઓગસ્ટે સીરિયામાં પણ આવો જ હવાઈ હુમલો થયો હતો. ત્યારબાદ સીરિયન રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો કે ઇઝરાયલી હવાઈ હુમલાઓએ રાજધાની દમાસ્કસની આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યા. આ હુમલામાં સીરિયન સેનાના ચાર જવાનો માર્યા ગયા હતા.

હુમલા શા માટે થાય છે?
જાણકારી અનુસાર ઈઝરાયેલના હુમલામાં સીરિયાના હથિયારો અને શસ્ત્રાગારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સાથે ઈરાન સમર્થિત લડવૈયાઓને પણ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયેલે તાજેતરના વર્ષોમાં સીરિયામાં સરકાર હસ્તકના સ્થાનોને નિશાન બનાવીને સેંકડો હુમલા કર્યા છે. જોકે, ઈઝરાયેલે ક્યારેય આ હુમલાનો સ્વીકાર કર્યો નથી.

સીરિયામાં હજુ પણ મુશ્કેલીમાં
2013થી સીરિયામાં મોટા પાયે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ઈસ્લામિક સ્ટેટે અહીંના મોટા ભાગ પર કબજો કરી લીધો હતો. જોકે, 2019 સુધીમાં સીરિયામાં ઇસ્લામિક સ્ટેટનો પરાજય થયો હતો. આમ છતાં દેશના અનેક ભાગોમાં સમયે સમયે હુમલા અને બોમ્બ વિસ્ફોટોના અહેવાલો આવતા રહે છે. ઈઝરાયેલનો એવો પણ આરોપ છે કે સીરિયા તેની વિરુદ્ધ ઈરાની લડવૈયાઓને ટેકો આપે છે.

Most Popular

To Top