National

સિડની ડાયલોગ્સ: વડાપ્રધાન મોદીએ બિટકોઈન મામલે દુનિયાને આ ચેતવણી આપી

હાલના સમયમાં ભારતમાં (India) ક્રિપ્ટોકરન્સીની (Crypto Currency) કાયદેસરતા અને નિયમન પર ભારે ચર્ચા થઈ રહી છે. ક્રિપ્ટો કરન્સીને કાયદેસર કરવા મામલે સરકાર પણ ગંભીરતાપૂર્વક અને ઝડપથી એક રાષ્ટ્રીય કાયદો લાવવાની વિચારણા હેઠળ છે. જે વાતની સાબિતી છેલ્લાં એક સપ્તાહમાં આ મામલે યોજાયેલી બે મહત્વપૂર્ણ બેઠકો અને આજરોજ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઓસ્ટ્રેલિયાના (Australia) સિડનીમાં (Sydney) આપેલું નિવેદન આપી રહ્યું છે.

મોદીએ કહ્યું કે, આ ભારતના લોકો માટે સમ્માન વાત છે કે તમે મને સિડની ડાયલોગમાં સંબોધન કરવા આમંત્રણ આપ્યું. હું હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને ઉભરતી ડિજીટલ દુનિયામાં ભારતની કેન્દ્રીય ભૂમિકાને માન્યતાના રૂપમાં જોઈ રહ્યો છું. મોદીએ બિટકોઈન (Bitcoin) મામલે ચેતવણી પણ આપી હતી. મોદીએ કહ્યું કે, લોકતંત્ર માટે સાથે મળીને કામ કરવું જરૂરી છે. બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સી મામલે મોદીએ કહ્યું કે, વિશ્વના તમામ લોકશાહી દેશોએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે આ (ક્રિપ્ટોકરન્સી) કોઈ ખોટા હાથોમાં જતું નહીં રહે. આ આપણા યુવાનોને બરબાદ કરી શકે છે.

PM નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આજે તેઓએ સિડની માં સંબોધન કર્યું હતું. ‘સિડની ડાયલોગ’ને (Sydney Dialogue ) સંબોધન કરતી વખતે મોદીએ ક્રિપ્ટોકરન્સીના ભવિષ્ય અને યુવાનો પર તેની અસર વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક સમયથી વિશ્વભરમાં ક્રિપ્ટો કરન્સનો ઉપયોગ વધી રહ્યો છે. ડિજીટલ યુગમાં વર્ચ્યુઅલ કરન્સી પ્રત્યે બજારનો ઝોક વધી રહ્યો છે, પરંતુ વિશ્વએ એ સુનિશ્ચિત કરવું પડશે કે ક્રિપ્ટોકરન્સી ખોટા લોકોના હાથમાં જતી નહીં રહે. ક્રિપ્ટોનો ઉપયોગ માનવ સમાજના હિતો વિરુદ્ધ નહીં થાય તેનું ધ્યાન રાખવું પડશે. આ સાથે જ યુવાનો અને ક્રિપ્ટો કરન્સી વિશે બોલતા મોદીએ કહ્યું કે, યુવાનો આ ક્રિપ્ટોકરન્સીનો કઈ રીતે ઉપયોગ કરે છે તેનું ધ્યાન રાખવું પડશે. અન્યથા આ આપણા યુવાનોને બરબાદ કરી નાંખશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડિજિટલ માધ્યમથી ઓસ્ટ્રેલીયા દ્વારા આયોજિત ‘સિડની ડાયલોગ’ને સંબોધિત કરતી વખતે ક્રિપ્ટોકરન્સીના ભવિષ્ય વિશે એક મહત્વપૂર્ણ વાત કહી હતી. મોદીએ એ કહ્યું હતું કે ‘વિશ્વના તમામ દેશોએ એ બાબત સુનિશ્ચિત કરવી જોઈએ કે ક્રિપ્ટો કરન્સી ખોટા લોકોના હાથમાં ન જાય અને ક્રિપ્ટોનો ઉપયોગ માનવ સમાજના હિતો વિરુદ્ધ ન થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ગઈ કાલે જ સંસદીય સમિતિ તરફથી એક અભિપ્રાય જાહેર કરીને જણાવાયું હતું કે, આજના આધુનિક સમયમાં ક્રિપ્ટોને રોકી શકાય નહીં, પરંતુ તેને નિયંત્રિત કરવાની જરૂર છે. સંસદીય સમિતિની આ ભલામણ પછી આ બાબત પર પીએમ મોદીએ મંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી .

ભારતમાં ટેક્નોલૉજી ક્ષેત્રે થઈ રહેલા પરીવર્તનો અંગે વાત કરતાં મોદીએ કહ્યું હતું કે, હાલ ભારતમાં પાંચ જેટલા મહત્વપૂર્ણ પરિવર્તનો આકાર પામી રહ્યા છે. જેમાં દુનિયાની સૌથી મોટી સાર્વજનિક માહિતી એક્સેસ સિસ્ટમ અને દેશના 6 લાખ જેટલા ગામડાઓને ઇન્ટરનેટ દ્વારા એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભારતમાં વિકસવયેલી કોવિન વેબ સિસ્ટમને પણ ઓપન સોર્સ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી વિશ્વના અન્ય દેશો પોતાના દેશોમાં કોવિન વેબ સિસ્ટમના ઉપયોગથી કોવિડ-19 વિરુદ્ધ રસીકરનને વેગવંતતુ  બનાવી શકશે.

Most Popular

To Top